________________
મંડળની જેમ શોભે છે. ऋद्धि : ॐ ही अहँ नमो विउव्वण इहि पत्ताणं ॥ मंत्र : ॐ नमो भगवते जये विजये मोह्य मोह्य स्तंभय स्तंभय स्वाहा।
આ અઢારમા કાવ્ય-મંત્ર જપવાથી શત્રુઓ વશ રહે છે. ૨૧ અથવા ૧૦૮ વાર મંત્ર (પ્રથમ સિદ્ધ કર્યા બાદ) ભણવાથી શત્રુનું મુખ ખંભિત થાય, ઝઘડોને ન્યાયાધિશો આપણી તરફેણમાં કેસ ચલાવે!
તા.ક. તાંત્રિક પ્રમાણે શત્રુના અમુક પગની રજ અમુક વારે લઈ પૂતળું બનાવી વ્યવસ્થિત સ્થળે દાટવામાં આવે તો શત્રુ નોકર બની જાય. એ સહજ વાત છે. જોક ૧૮ માનો પ્રભાવ બતાવનારી કથા જ
ગુજરાતના મધ્ય ભાગમાં ફુલવાડી જેવું મનોહર પાટણ નામે શહેર છે, ત્યાં કુમારપાળ નામે રાજા રાજ્ય કરે છે. તે જૈન ધર્મી અને બહુજ ન્યાયવંત છે. પશુપંખી પણ ગાળેલું પાણી પી શકે તેવી સુંદર વ્યવસ્થા તેના રાજ્યમાં કરવામાં આવી છે. તેને બહુજ બુદ્ધિમાન અને ધર્મિષ્ટ અંબડ નામે એક પ્રધાન છે,
એક વખત પોતાની માતાના આગ્રહથી અંબડે કચ્છમાં આવેલા ભદ્રપુર (ભદ્રેશ્વર)ની યાત્રાએ સંઘ સહિત જવાનો નિશ્ચય કર્યો. અને ધામધુમપૂર્વક ઘણા સ્નેહી-સંબંધીઓ તથા અનેક ધાર્મિક ભાઈઓ સાથે પાટણથી નીકળ્યા.
રસ્તામાં દરેક સ્થળે યાત્રાઓ કરતા અને ચો તરફ સંઘવી જૈન ધર્મનો વિજયડંકો વગાડતા તેઓ ઘણા દિવસે કચ્છના રણને કાંઠે આવી પહોંચ્યા.
ચો તરફ ઉભા કરેલા નાના-મોટા પંચરંગી તંબુઓથી વિશાળ જગ્યા શોભી રહી હતી. અને જાણે સુંદર નાનું શહેર વસી ગયું હોય