________________
પપ
એક વખત અચાનક જ રાજા ધુરસેનને કોઈ કારણના લીધે એકપિશાચ વળગ્યો, તેથી રાજા લગભગ બેભાન સ્થિતિમાં જ રહેવા લાગ્યો. તેથી તે કેટલીક વખત તો અયોગ્ય કામો પણ કરી બેસતો,
આપિશાચને કાઢવા માટે પ્રધાન ગુણચંદ્ર બહુ બહુ ઉપાયો કર્યા. પરંતુ કોઈથીએ પિશાચ નીકળી શક્યો નહિ. ત્યારે રાજા તથા પ્રધાન બને ખુબજ મુંઝાવા લાગ્યા.
એવામાં એક વખત એજ નગરીમાં કોઈ બહુ પ્રભાવિક સાધુ મહારાજ પધાર્યા. તેઓ બહુજ શાંત અને પવિત્ર હતા. તેમનો અમૃતમય ઉપદેશ સાંભળીને ઘણા માણસોએ પ્રધાનને કહ્યું કે, આ જૈન મહાત્માને વિનંતિ કરવામાં આવે તો જરૂર તેઓ રાજાને વળગેલા પિશાચને કાઢી શકે.
પ્રધાનને તો એટલું જ જોઈતું હતું. તે બે ચારા સારા માણસો સાથે એ સાધુ મહાત્માના ઉપાશ્રયે ગયા, અને વિનંતિ કરી કે-“હે મહાત્મન્ ! આપ તો પરદુઃખ ભંજન છો, જો આ રાજાના પિશાચને આપ કાઢો તો “એકપંથને દો કાજ” જેવું થશે. કારણ કે ઘણા માણસોએ પ્રયત્ન કરવા છતાં પણ તેમાં તેઓ નિષ્ફળ નિવડયા છે. અને આપ જો કાંઈ કરશો તો તેથી જન ધર્મનો મહિમા વધશે અને જૈન ધર્મ એ પ્રભાવિક ધર્મ છે. તથા તેને પાળનાર પુરુષો પણ પવિત્ર છે. એવી લોકની માન્યતા થશે, માટે જો આપ કાંઈ કૃપા તો ઠીક” આપની કીર્તી પણ જગમાં ફેલાશે. * પ્રધાનના આ પ્રકારના વચનો સાંભળીને અને આ કાર્યપરિણામે ફળદાયક છે, એમ જાણીને મહાત્માએ તેમને બીજા દિવસે આવવા કહ્યું.
રાત્રિએ મહાત્માએ ભક્તામર સ્તોત્રના ૧૫મા શ્લોકની આરાધના વડે શાસનદેવીને બોલાવી. અને રાજાના આ દુઃખનો ઉપાય