________________
૫૩
પછીથી ડાહીએ નાસી ગયેલા પોતાના સંબંધીઓને બોલાવી ચાલવાની તૈયારી કરવા માંડી, ત્યારે લુંટારૂઓનો સરદાર નમ્ર ભાવે બોલ્યો કે હે બેન! અમોએ તમારા જેવા પવિત્ર બાઈને સતાવી તે માટે અમે દીલગીર છીએ. હવેથી અમે એવું કામ નહિ કરીએ. પરંતુ મહેરબાની કરી અમને આ દુઃખમાંથી છોડતા જાઓ. અમારા હાથ પગ થંભી ગયા છે.
લુંટારાનાં આજીજી ભર્યા વચનો સાંભળીને ડાહીને તથા સાથે રહેલા બધા માણસોને દયા આવી અને બીજી વાર એજ શ્લોકનું ચિંતવન કરી પાણી છાંટ્યું. તેથી સર્વ લુંટારાઓ છુટા થઈ ગયા અને ફરીથી કોઈને પણ આવી રીતે નહિં સતાવવાના સોગંદ લઈ ત્યાંથી વિદાય થયા.
આ તરફ સાથેના સંબંધી માણસો પણ ડાહીના શીયળને આવો પ્રભાવ જાણી બહુજ આનંદ પામ્યા. અને જ્યારે ભરૂચ નગરમાં આ વાત ફેલાઈ ત્યારે તો જૈન ધર્મનો ઘણોજ પ્રભાવ વધ્યો.
* આત્માના સારા ગુણોનો લુંટનાર ક્રોધ-માન-માયા અને લોભ રૂપ લુંટારા પણ જો પ્રભુના સ્મરણથી થંભી જાય છે. તો આ મનુષ્ય લુંટારા થંભે એમાં નવાઈ શી? કારણ કે પ્રભુ સ્મરણનો મહિમા જ અલૌક્કિ છે.
તમે પણ નિરંતર એવી રીતે પ્રભુ સ્મરણ કરજો.
છ
ઉદ્દ