________________
ऋद्धि : ॐ हीं अहँ नमो विपुलमइणं ॥ __ मंत्र : ॐ ही नमो भगवती गुणवती महामानसी स्वाहा ॥
આ ચૌદમા કાવ્ય-મંત્ર જપવાથી આંધી-ઝાંખી-વંટોળીયોધૂળવર્ષા આદિ ઊપદ્રવોનો નાશ થાય છે.
* શ્લોક ૧૩-૧૪ નો પ્રભાવ બતાવનારી કથા જ
અણહિલપુર પાટણમાં સત્યવાન નામે એક શ્રાવક રહેતો હતો. તેને ડાહી નામે એક પુત્રી હતી. પિતા પુત્રીને ધર્મ ઉપર ખૂબજ શ્રદ્ધાળુ હતી, અને સત્યવાન હંમેશાં ત્રિકાળ ભક્તામર સ્તોત્રનું ચિંતવન કરતો હતો. તે જોઈ ને પુત્રીએ પણ દિવસમાં એકવાર તો ભક્તામર સ્તોત્ર ભણવું એવો નિયમ લીધો. અને ભક્તામર સ્તોત્રનો પાઠ કરવા લાગી.
સમય જતાં પુત્રી મોટી થઈ, અને ભરૂચ શહેરમાં પરણાવી. એક વખત તે કુટુંબી માણસો સાથે પાટણથી ભરૂચ જવા નીકળી. રસ્તામાં સખત થાક લાગવાથી તેઓ બધા એક તળાવને કિનારે આરામ લેવા બેઠા. ત્યાં અચાનક પંદર-વીશ હથીયારબંધ લુંટારાઓએ તેમને ઘેરી લીધા.
સાથેના માણસો લુંટારાઓની સામેથયા. પરંતુ લુટારાઓના બળ આગળ તેઓ ટકી શક્યા નહિ. તેથી નાસી ગયા. ત્યારે લુંટારાઓએ ડાહીને સતાવવા માંડી, તેણે ઘણી ઘણી આજીજી કરી, પરંતુ લુંટારાએ તે માની નહિ. ત્યારે ડાહીએ શુદ્ધ ચિતે ભક્તામરના ૧૩-૧૪ શ્લોકોનું આરાધન કરવા માંડ્યું. તેના શુદ્ધ શિયળના પ્રતાપે પાણી છાંટવાથી તરતજ બધા લુંટારાઓ થંભી ગયા.