SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ રાજા વિગેરે પણ જોવામાં મશ્કુલ હતા એટલે તેમણે આ કાંઈ ગણકાર્યું નહિ. જાદુગરે થોડી વારે શંકર વિષ્ણુ-રામ વિગેરેના વેશ કાઢી મશ્કરી કરી. સર્વને હસાવવા લાગ્યો. વળી આગળ વધી જૈનસાધુ અને તીર્થંકોરના પણ વેષ કાઢ્યા. સુબુદ્ધિથી આ સહન ન થયું, એટલે તેણે ત્યાં બેઠા બેઠા એક ચિત્તે ભક્તામર સ્તોત્રના આ બારમા શ્લોકનું ચિંતવન કર્યું. તરત જ શાસન દેવી આવી. અને વેશ કાઢી ધર્મની હેલના કરનાર જાદુગરનેભરસભામાં એક તામાચો લગાવ્યો. તમાચો પડતાની સાથેજ જાદુગરનું મોઢું વાંકુ થઇ ગયું. અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાંય સીધું ન થયું. ત્યારે આખી સભા હસવા લાગી. આથી જાદુગર મૂંઝાયો છેવટે તેણે એ વેષ છોડી દીધો અને પ્રધાનની ક્ષમા માગી. પ્રધાને પણ દેવીને પ્રાર્થના કરવાથી તેનું વાંકુ થયેલું મોઢું સીધું કર્યું. અને રાજાને તથા સભાજનોને જૈન ધર્મનો તથા ભક્તામર સ્તોત્રના મહિમા સમજાવ્યો. જેના એક શ્લોકમાંજ આવી શક્તિ છે તો આખા સ્તોત્રમાં મહાન શક્તિ હોય તેમાં શું આશ્ચર્ય છે ? એમ જાણીને રાજા વિગેરે ઘણા માણસો જૈન ધર્મના રાગી થયા અને જૈન ધર્મનો મહિમા ફેલાવ્યો. પ્રભુના સ્મરણથી કર્મરૂપી ઠગો હતાશ થઈ જાય, તો પછી આ મનુષ્યરૂપી ઠગ (જાદુગર) હતાશ થાય તેમાં શી નવાઇ છે. માત્ર એક ચિત્તથી અને સાચી શ્રદ્ધાથી તેનું આરાધન કરવું જોઇએ. આ શ્લોકના વારંવાર રટનથી મદારીને ખેલ ફલીભૂત થતા નથી, વર્ક્સ કવ તે સુરનરોરગનેત્રહારિ, નિઃશેષનિર્જિત જગતિતોપમાનમ્; બિમ્બ કલંકમલિનં કવ નિશાકરસ્ય, યદાસરે ભવતિ પાંડુપલાશકલ્પમ્. ।૧૩ I
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy