________________
૪૯
તા.ક. પૂ. આચાર્ય ભગવંતો સૂરિમંત્રની આરાધનામાં આ બારમી ગાથાથી ૧૮ મી ગાથા સુધી આરાધના કરે છે. શ્રુતદેવતાની ભક્તિ માટે શાસન પ્રભાવનામાં આ ૮ ગાથાઓ અત્યંત ઉપયોગી છે,
સ્ફટીકની માલા, ૧૨ થી ૧૯ગાથા ગણી ત્યાર બાદ પાંચ પદો પૂર્વક મંત્રાક્ષર ગણે તો સરસ્વતીની કૃપા થાય છે. ટાઈમ જગ્યા આસન માલા એકજ અનિવાર્ય છે.
જ બ્લોક ૧૨ માની પ્રભાવ બતાવનારી કથા
ચંપાનગરીમાં કર્ણ નામે એક રાજા હતો. તે બહુ ન્યાયી અને ધર્મિષ્ઠ હતો. તેને સુબુદ્ધિ નામે પ્રધાન હતો. તે જૈન ધર્મને વિષે બહુજ ભક્તિવાળો હતો, એક વખત રાજા પોતાનો દરબાર ભરીને બેઠો છે, તેવામાં એક જાદુગર આવ્યો. તેણે રાજાને કહ્યું કે જો આપની રજા હોય તો હું મારી કળા બતાવું.
રાજાની રજા મળવાથી તે અનેક જુદા જુદા વેશ કાઢી આખી સભાને ખુશ કરવા લાગ્યો, ધીમે ધીમે જોનાર માણસો તેનાં વખાણ કરવા લાગ્યા. તેથી તે મર્યાદા મૂકવા લાગ્યો. અને સામાન્ય મનુષ્યોના વેષ કાઢવાને બદલે અનેક દેવદેવીઓના કૃત્રિમ વેશ કાઢી તેમની મશ્કરી કરી બધા લોકોને હસાવવા લાગ્યો. જ્યારે દેવીઓની મશ્કરી કરી તે સારૂં નહિં અને તે સહન સુબુદ્ધિ પ્રધાનથી થઈ શકયું નહિ. * ત્યારે સુબુદ્ધિ પ્રધાને તેને કહ્યું, “તું અનેક વેષ ભલે કાઢે, પરંતુ દેવ-દેવીઓના વેશ કાઢવા અને તેમની મશ્કરી કરવી તે તેને વ્યાજબી નથી.” ' પરંતુ તે બીજાને ખુશ કરવા જ આવ્યો હતો. તે એમ કેમ માને?