________________
R
સેવકોએ કહ્યું- હા જી, એક ધનાવહ નામે શેઠ છે, જે જૈનધર્મ પાળે છે, તે તમારા દર્શને કદી આવ્યાજ નથી. તેઓ પોતાના ધર્મ સિવાય બીજા કોઈને માનતા જ નથી.”
ધુલીપાત સન્યાસી તો આ વચનો સાંભળીને એકદમ ક્રોધે ભરાયો અને હલકા દેવોની સહાય વડે તેણે ધનાવહ શેઠના ઘર ઉપર પત્થર તથા ધુળનો વરસાદ વરસાવ્યો, આખું ઘર પત્થર અને ધુળથી ભરાઈ ગયું. શેઠે આ ધર્મ સંકટ જાણીને ભક્તામરના પ-૬-૭ શ્લોકોનું ચિંતવન કરવા માંડ્યું.
સાચી ધીરજ અને સચોટ શ્રદ્ધાથી શાસનદેવી પ્રત્યક્ષ થઈ. શેઠની આ પરિસ્થિતિ નિહાળી પોતાના પ્રભાવ વડે એજ ધુળ અને પત્થર ધુલીપાત સન્યાસીના મઠમાં ભર્યા. ન્યાસીએ તેમાંથી ઉગરવા ઘણા ઘણા દેવદેવીઓને બોલાવ્યા. પણ શાસન દેવીના પ્રભાવ આગળ કોઈ ટકી શકયું નહિ, આથી આ સંકટમાંથી બચવા ધુલીપાતે ધનાવહ શેઠની ક્ષમા માગી અને શેઠને વિનંતિ કરી, આ વિનંતિથી શાસન દેવીએ તેને તેમાંથી મુક્ત કર્યો. આથી તેનું સર્વ અભિમાન ઉતરી ગયું, અને નગરના લોકો તેની હાંસી કરવા લાગ્યા. પરંતુ આવી હાંસી તેનાથી સહન ન થવાથી શહેરમાંથી તે નાસી ગયો. શાસનદેવીના ચમત્કારથી જૈનધર્મના મહિમા ઘણોજ વધ્યો.
જે પ્રભુના સ્મરણથી અનાદિકાળથી લાગેલી કર્મ રૂપી ધુળ થોડી વારમાં જ દુર થાય છે. તો પછી આ બહારની ધુળ દુર થાય તેમાં શું આશ્ચર્ય છે?
તમે પણ નિરંતર આ સ્તોત્ર ભણી આત્માને ધનાવહ શેઠની જેમ પવિત્ર બનાવજો.
H