SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ YO ભાવાર્થ-કોટિ ભવથી ઉત્પન્ન કરેલું પ્રાણીઓનું પાપ કર્મ તમારી સ્તુતિ કરવાથી તેજ સમયે નાશ પામે છે. જેમાં લોકોમાં ફેલાયેલું, અને ભમરાના જેવું કાળું અંધારીઆની રાત્રિ સંબંધીનું સર્વ અંધારૂસૂર્યના કિરણોથી ભેદાઈને તત્કાળ નાશ પામે છે તેમ. ___ऋद्धि : ॐ हीं अहँ नमोबीय बुद्धीणं मंत्र : ॐ हीं श्रीं हैं सौ श्री श्री क्रौं की सर्व दुरित संकट क्षुद्रोपद्रव कष्ट निवारणं कुरु कुरु स्वाहा -- આ સાતમા કાવ્ય-મંત્રને ૧૦૮ વાર કાંકરી મંત્રીને સર્પના માથા ઉપર નાંખીએ તો સર્પ ચાલ્યો જાય, તેમ કરડ્યો હોય તો સર્પનું ઝેર ચઢે નહિં. ૫-૬-૭ શ્લોકોના પ્રભાવની કથા પટણા શહેરમાં ધનાવહ નામે શેઠ હતા. પાસે સારા પૈસા હોવા છતાં તે બહુજ પરોપકારી અને ધર્મિષ્ટ હતા. તેમણે પટણા શહેરમાં એક સુશોભિત દહેરાસર બંધાવ્યું હતું. નિરંતર સેવા ભક્તિ કરતા આનંદ પૂર્વક પોતાના દિવસો વિતાવતા હતા. તેવામાં એક દિવસ એ શહેરમાં ધુલીપાત નામે એકવેષધારી સન્યાસી આવ્યો. અને પોતાનો મઠ જમાવી રહેવા લાગ્યો. તે કામણ ટુમણ જાણતો હતો, એટલે લોકોને અનેક ચમત્કારો બતાવી પોતાનો મહિમા વધારતો હતો “દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહિયે” એ ન્યાયે અનેક લોકો પોતાના ધર્મને છોડી આ ધુર્ત સન્યાસીની જાળમાં ફસાવા લાગ્યા. આના ઘણા અનુયાયીઓ થવાથી તે પોતાને મોટો મહાત્મા કહેવડાવવા લાગ્યો. * વળી એકવખતે તેણે પોતાના સેવકોને ગર્વમાં કહ્યું કે “આખા નગરમાં કોઈ એવો માણસ છે કે જે મારા દર્શન કરવા આવ્યો હોય?”
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy