________________
૩૫
બે શ્લોકનું જ શુદ્ધ ચિત્તે સ્મરણ કરી અંજલિ ભરી પાણી છાંટયું. રાજાનો વ્યાધિ શાંત થયો. તેનાં બે શ્લોકનો જ આવો મહિમા છે તો પછી આખા સ્તોત્રનો તો કેટલો મહિમા હોવો જોઈએ ? રાજાએ તેમની પ્રશંસા કરી. ભક્તામરનો અભ્યાસ શરૂ કર્યો. જન ધર્મ ઉપર તેને પ્રીતિ થઇ. ધન્ય છે એવા શેઠને, ખરેખર !જૈન ધર્મનો પ્રભાવ અલૌક્કિ છે. નમસ્કાર હો એવા પુણ્યવંતને.
બુદ્ધયા વિનાપિ વિબુધાર્ચિત પાદપીઠ | સ્તોતું સમુદ્યતમતિર્લિંગતત્રપોડહમ્ ॥ બાલવિહાય જલસંસ્થત મિન્દુબિમ્બ . અન્યઃ ક ઇચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ II૩ા
અર્થ-જેનું ચરણાસન પણ દેવો વડે પૂજા એલું છે. એવા હે પ્રભુ ! જેમ કોઈ બાળક જળમાં પડેલા પ્રતિબિંબને એકદમ ગ્રહણ કરવાની ઇચ્છા કરે છે. પરંતુ બીજો કોઈ માણસ ઈચ્છા કરતો નથી. તેવી રીતે મેં બુદ્ધિ વિના પણ લજ્જા વિહીન થઇને તમારી સ્તુતિ કરવામાં પ્રવૃત્તિ કરી છે. (૩)
ऋद्धि : ॐ ह्रीं अहँ नमो परनोहिजिणाणं ||
मंत्र : ॐ ह्रीं श्रीं कर्लीीं सिद्धेभ्यो बुद्धेभ्यो - सर्व सिद्धि दायकेभ्यो नमः
આ ત્રીજા કાવલ્ય-મંત્રને જપવાથી દુશ્મનની નજર બંધ થાય, જો ૨૧ વાર પાણી મંત્રી (ઋદ્ધિ મંવથી) મુખે છાંટીએ તો સર્વેજન પ્રસન્ન
થાય.