SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કોમળ અવાજ આવ્યો-“શું જોઈએ છે? માંગ? માંગ?” શેઠે ધ્યાન પૂર્ણ કર્યું ઉંચી નજર કરી તો પ્રત્યક્ષ તેજ તેજના અંબાર સરખી દેવીને નિહાળી. અને આંખો બંધ કરી તો થોડી જ વારમાં શેઠના દોરડાનાં બંધન તુટી ગયાં. અંધકારને ઝળહળતો પ્રકાશ ફેલાઈ ગયો. અને કુવાના સાંકડા તળીયાને બદલે વિશાળ સુશોભિત સ્થળ બની ગયું. દૈવી આભૂષણોથી શેઠની કાયા પણ વિશેષ સ્વરૂપવાન બની. આજે પથારીમાં પડ્યા પડ્યા રાજા ભોજને નિદ્રા આવતી નથી, પેટનો મહાવ્યાધિ ઉત્પન્ન થયો છે. ઘણા વૈદ્ય હકીમોએ બનતા બધા ઉપાય કર્યા પણ એ વ્યાધી શમતો નથી. રાત દિવસ રાજા પીડાય છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું, મહારાજ “કદાચ દેવચંદ શેઠના ઉપચારથી આપનો વ્યાધિ મટે.” રાજાએ માણસો મોકલ્યો, જાઓ એમના બંધન તોડી નાખો અને કુવામાંથી બહાર કાઢી માનપૂર્વક શેઠને તરત જ અહીં લાવો. . રાજાના હુકમથી માણસો દોડ્યા, મોટા મોટા દોરડા લીધા અને શેઠને બહાર કાઢવા કોસ જોડ્યા, અને દેવચંદશેઠના નામનો અવાજ કર્યો. થોડીવારે કોઈની પણ સહાય વિના આનંદિત ચહેરે શેઠ પોતાની જાતે જ ઉપર આવ્યા. આ જોઈ લોકો નવાઈ પામ્યા. તેના શરીર ઉપરનાં ઘરેણાં જોઈ હર્ષપામ્યા. લોકોએ આનંદના પોકારો કર્યા. તેમના દુશ્મનો પણ તેમનાં વખાણ કરવા લાગ્યા રાજાની પાસે જઈને શેઠે નમસ્કાર કર્યા. રાજા પણ આ સ્થિતિ જોઈ આશ્ચર્ય પામ્યો. જ્યારે તેણે જાણ્યું કે આ બધો પ્રભાવ ફકત એ ભક્તામર સ્તોત્રનો છે; ત્યારે તેને ઘણો આનંદ થયો. પોતે ભક્તામર સ્તોત્રની પ્રશંસા કરી. ' રાજાએ પોતાના વ્યાધિનો ઉપાય પૂક્યો. શેઠે ભક્તામરના પ્રથમ
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy