________________
33
← વાર્તા ૧ લી શ્લોક ૧-૨ બંધનથી મુક્ત થવાય છે.
આખી ઉજ્જૈણીના લોકો આજે ગામના પૂર્વ દરવાજે ટોળે મળ્યા છે. સર્વેના મોઢા ઉપર શોક અને કુતુહલની મિશ્ર લાગણી નજરે પડે છે. બ્રાહ્મણોના વચનો પરથી ભક્તામર સ્તોત્રનો મહિમા જાણવાની ઈચ્છાવાળા રાજા ભોજે ત્રણ ત્રણ દિવસના (અટ્ટમ) ઉપવાસ પછી દોરડાનાં સખત બંધનોથી બાંધી પાણી વિનાના એક ઉંડા અને અંધારા કુવામાં દેવચંદ શેઠને ઉતાર્યા છે.
દેવચંદ શેઠ હતા તો વૃદ્ધ પણ તેમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અચલ હતી. કોઈ દેવ પણ તેમની શ્રદ્ધાને ડગાવી શકે તેમ ન હતું. આજે તેવીજ આકરી કસોટી થઈ રહી હતી. અંધારા કુવામાં ઉતાર્યા છતાંયે દેવચંદ શેઠ તો શાંત હતા. તેમનું ધ્યાન ભક્તામરના શ્લોકોમાં પરોવાયેલું હતું, એક ચિત્તથી તેઓ તેનું સ્મરણ કરેજ જતા હતા. ન હતી તેમને સર્પની બીક કે ન હતી. તેમને અંધારા કુવાના હિંસક પ્રાણીઓની બીક. એ અંધારામાંયે એમની ભવ્ય મુખ મુદ્રામાં તેજસ્વી કિરણો પ્રસરતા હતા.
અંધકારનો આછો છાંયો જગત પર પથરાયો કે તરતજ ઉભરાયેલા લોકોનાં ટોળે કંઇ કૈંઇ કલ્પનાના ભાવોને વહન કરતા એ ગૂઢ રાત્રિના ગાઢ અંધકારમાં એક પછી એક લોકો અલોપ થઇ ગયા. રહ્યા ફકત અણનમ અને ટેકીલા વીર એ દેવચંદ શેઠ. તેને અંધકારનો ઓછાયો સ્પર્શી શકયો ન હતો. જેમ જેમ બહાર અંધકાર વધતો ગયો, તેમ તેમ તેના હ્રદયનો શ્રદ્ધાદ્વિપ તેજસ્વી બન્યો. પણ તેના એકાગ્ર ધ્યાનમાં ભંગાણ નમ પડ્યું. એ અંધકારના ગાઢ પડદાને તોડીને એકદમ પ્રકાશ પ્રકાશ થઈ ગયો, ક્ષણ ભર નિરવ શાંતિ પથરાઈ ગઈ અને