________________
પહેરવી, જમતી વખતે તે વીંટી ડાબા હાથની તર્જની આંગળીમાં પરિધાન કરવાનું ન ભૂલાય તો દારિદ્રયનો નાશ થાય અને લક્ષ્મીદેવીની મહેરબાની થાય.
યઃ સસ્તુતઃ સકલવામય તત્ત્વબોધા | દુભૂત બુદ્ધિ પભિઃ સુરલોક નાથેઃ || સ્તોત્ર ર્જગતરિતય ચિત્ત હરે રુદારેઃ || સ્તોષ્ય કિલાહમપિત પ્રથમ જીનેન્દ્રમ્ |
અર્થ:- સમસ્ત શાસ્ત્રોના તત્ત્વ જ્ઞાનથી ઉત્પન્ન થયેલી નિપુણ બુદ્ધિ દ્વારા ત્રણે લોકના ચિત્તનું હરણ કરનાર, ઉદાર (મોટા) સ્તોત્રોથી ઈન્દ્રદેવે પણ જેની સ્તુતિ કરી છે, એવા શ્રી પ્રથમ જીનેન્દ્ર ભગવંતની હું સ્તુતિ કરીશ. (૨) ऋद्धि : ॐ ह्रीं नमो ओहि जिणाणं मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं ब्लूँ नमः
આ બીજા કાવ્ય તથા મૂલ મંત્રને સિદ્ધ કરી જપવાથી તથા ૨૧ દિન સુધી ઋદ્ધિમંત્રની શ્યામ માલા રોજ ૧ ગણવાથી શત્રુઓ વશ થાય