________________
૧૩૧
ઢાળ-પાંચમી. (હવે નિસુણો ઇહાં આવીયા એ-એ દેશી.) જન્મ જરા મરણે કરીએ, એ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈનરાખણહાર તો. 1શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જૈનનો એ, સાધુ શરણ ગુણવંત તોઃ ૨ અવર મોહ સવિ પરિહરીએ, ચાર ચરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. ૩ આ ભવ પરભવ જે કર્યાએ, પાપ કર્મ કઈ લાખ તો; આત્મ સાખે તેનિંદીએ એ, પડિક્કમિએ ગુરૂ સાખ તો. ૪ મિથ્યામતિ વર્તાવિયાંએ, જે ભાખ્યાં ઉસૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તો. ૫ ઘડ્યા ઘડાવ્યાં જે ઘણાએ, ઘરંટી હળ હથીયાર તો ભવ ભવ મેલી મૂકીયાં એ, કરતાં જીવ સંહાર તો. ૬ પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો, જનમાંતર પહોંચ્યા પછી એ, કોઇએ ન કીધી સાર તો. ૭ આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીએ એ, આણી હૃદય વિવેક તો. ૮ દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તો, શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તા. ૯
વાળ ૬ થી
(આઘે તું જગને જીવડા એ દેશી) ધન ધન તે દિન માતરો, જીહાં કીધો ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ૧ શેjજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂજીયા, વળી પોષ્યાં પાત્ર ધન ર પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિણ હર જિન ચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર. ધન) ૩