SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ કહીને મુનિ મહારાજે તેને ભક્તામર સ્તોત્રનો ઉદ્ભૂતભીષણ” એ શ્લોક શુદ્ધિપૂર્વક શીખવ્યો અને પોતે ત્યાંથી વિહાર કરી ગયા. રાજકુમાર પણ નિરંતર એ શ્લોકનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવા લાગ્યો. આથી ધીરે ધીરે નું મન પણ કાંઈક શાંત થવા લાગ્યું. આ પ્રમાણે દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા. જે વખતે વિજયસિંહ હસ્તિનાપુરમાં રહેતો હતો તે વખતે હસ્તિનાપુરનો રાજા વિસિંહ હતો. તેને એક પુત્ર ત્રણ પુત્રીઓ હતી. તેમાં સૌથી નાનીનું નામ શીલવતી હતું. એક વખત રાજાએ પોતાની પુત્રીઓને હસતાં હસતાં કહ્યું કે “ તમારું સુખ કોના હાથમાં છે?” ત્યારે મોટી બહેનોએ કહ્યું કે હે પિતાજી ! અમારૂં ખરું સુખ આપનાજ હાથમાં છે. ત્યારે નાની શીલવતીએ કહ્યું “નહિ પિતાજી, ખરું સુખ અમારા કર્મને આધિન છે, આથી રાજાને ખૂબ રીસ ચડી અને આથી શીલવતીને પરણાવવા માટે કોઈ રોગીમાં રોગી માણસને શોધવા માટે માણસો મોકલ્યા. આખા નગરમાં ફરતા ફરતા કેટલાક માણસો ગામની પાદરે આવેલી ધર્મશાળામાં ગયા અને અત્યંત વેદનાથી પીડા પામતા, જલોદરવાળા રાજકુમાર વિજયસિંહને તેઓ પકડી લાવ્યા. અને રાજા પાસે હાજર કર્યા. રાજાએ પણ ક્રોધના આવેશમાં શીલવતીને તેની સાથે પરણાવી દીધી. ડાહી શીલવતી એ જરાપણ આનાકાની કર્યા સિવાય રાજકુમારને પતિ તરીકે અંગીકાર કરી તેની સારવાર કરવા લાગી. એકવાર ફરતાં ફરતાં એ જ મુનિરાજ ત્યાં આવી ચઢ્યા. મુનિને જોઈ રાજકુમાર વિજયસિંહ તથા શીલાવતીએ તેમને વંદન કર્યું. વંદન કર્યા પછી શીલવતી બોલી પવિત્ર મુનિરાજ! આપના દર્શનથી અમે કૃતાર્થ થયા છીએ, પરંતુ જો કૃપા કરી આ રાજકુમારના વ્યાધિને શાંત કરો તો
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy