________________
თ
უ
დიდი ფულადი
(૩૦) આખ્યાન બત્રીસ ઈન્દ્રનું, વર્ણવ્યું છે વિસ્તાર,
આવાસ સ્થિતિ આદિ ઘણું, દેવિંદથય મોઝાર. (૩૧) ચરણસમાહિ પયગામાં, પંડિત મરણને કાજ,
ઉપાય કહ્યા તે સેવિયે, લેવા મુગતિનું રાજ. (૩૨) મહાપચ્ચકખાણ પયજ્ઞામાં પંડિત વીરજવંત,
અનશન શુદ્ધ આરાધતાં, મુનિ હોવે મુક્તિનો મંત. (૩૩) ગણિવિજ્જા પશે કહી, જયોતિષ વિદ્યા સાર,
શુભકર્મમાં તે યોજીએ, વરવા સિદ્ધિ અપાર. (૩૪) રચીયું છેદ નિસીહને, શ્રમણહિતાહિત કાજ,
નિરતિચારને પાળતાં, ધન્ય ધન્ય તે મુનિરાજ. (૩૫) નિર્ચન્થ સાધુ-સાધ્વીની, આચાર સંહિતા જાણ,
દ્વાદશાંગ નવનીતસમ, છેદ વવહાર પ્રમાણ. (૩૬) એ છેદ સૂત્રોને ભજો, દસસુયકબંધ સાર,
કલ્પસૂત્ર જેહમાં કહ્યું, શ્રમણ સંઘ આધાર.