________________
સ્વરૂપભોગનો જ છે, તે પરરૂપના - આહારાદિ દ્રવ્યના - ભાગમાં જવાથી આત્મસ્વરૂપમાં બાધક ભાવ ઉત્પન્ન થાય છે.
મહાસતી રાજીમતીજી કહે છે કે : આથી કરીને પાંચ અસ્તિકામાંથી ચાર અસ્તિકાય જોડેનો સંબંધ મેં ત્યાજ્યો છે.
અહીં એ યાદ રાખવું ઘટે કે સાધક પણ ભોજન વગેરે લેશે; પણ એ સમયે રાગ-દ્વેષ ન ઊપજે એની સાવધાની રાખશે. પરિણામે, ખાવા છતાં તે રાગ-દ્વેષજન્ય કર્મબન્ધમાં વધુ નહિ લપટાય.
કૂરગડુ મુનિરાજની કથા આપણે સહુએ સાંભળેલી છે કે વાપરતાં વાપરતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું.
0.
પ્રગટ્યો પૂરન રાગ