________________
કરોડ જાપ જેટલું મૂલ્ય ધ્યાનનું, કોટિ ધ્યાન સમું મૂલ્ય લયનું. અને કોટિ લય સમ છે ગાન... ગાનથી આગળ - ભીતરની દુનિયામાં - કંઈ જ નથી.
લયમાં એક વ્યક્તિ ભીતર ડૂબે છે. માનમાં સમષ્ટિને ડુબાડવાની તાકાત છે.
પંડિત ઓમકારનાથ ઠાકુરે એકવાર સંગીતજ્ઞોની સભામાં માલકૌંશને ઘૂંટ્યો. ચારેક કલાક એ રાગને ઘૂંટ્યા પછી એમણે સભાને કહ્યું : તમે બધા જ સંગીતજ્ઞ છો. અર્ધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને તમને કોઈ પણ રાગ ગાવાનું કહેવાય તો તમે એ રાગ આલાપી શકો તેમ છો. હું ઈચ્છું . કે તમારા પૈકીનો કોઈ પણ સંગીતજ્ઞ અહીં મંચ પર આવીને માલકૌશ સિવાયનો રાગ ગાઈ બતાવે.
બે-ચાર સંગીતકારો મંચ પર આવ્યા. બીજો રાગ ગાવાની કોશિશ તેઓએ કરી. પણ તેઓ તેમાં નિષ્ફળ ગયા. કારણ કે પૂરું અસ્તિત્વ માલકૌંશમય બની ગયેલું.
Tનાત્ પરત નહિ.
ગુરુદેવ ! હું આપના ગુણોને ગાયા કરું. ચિરસને પીધા કરું. અને આનન્દલોકમાં પ્રવેશું..
સદ્ગુરુ આ રીતે આપે છે વિક્સ. સદ્ગુરુદેવ આપણા પર કઈ કઈ રીતે કામ કરે છે, તેની રોમહર્ષક વાત કવિ શ્રી રમેશ પારેખે એક ગીતમાં આલેખી છે :
ડૂમો દળી આપે તે ગુરુ ! અંધાપામાં આંખ ઉગાડી આપે તે ગુરુ. મારા રે ગુરુએ મારો ડૂમો દળી નાખ્યો, કડવો અજંપો મારો કરુણાથી ચાખ્યો.
૭૮
પ્રગટ્યો પૂરન રાગ