________________
હૃદયની સપાટી ભીની, ભીની બને છે ત્યારે પરમ કૃપાના મેઘને એ ખેંચી લાવે છે.
પણ હૃદય તો છે કોરું-ધાકોર. સૂકું, સૂકું. કોરું, કોરું.
'
આ પૃષ્ઠભૂ પર સાધકની પ્રાર્થના આગળ વધે છે :
શિવરસ ધારા વરસાવો ગુરુમૈયા, સ્વાર્થવ્યાધિ મિટાઓ રે;
સવિ જીવ કરું શાસન રસિયા,
ઐસી ભાવના ભાવું મૈ...
!
પરાર્થરસિકતાની એવી એક રસધાર મારી ભીતર વહાવો, ગુરુમા કે સ્વાર્થનો જુગ-જુગનો જૂનો વ્યાધિ ટળી જાય. બધા જ પ્રાણીઓ પ્રભુશાસનના માર્ગે વળે એવો ભાવ મારા હૃદયમાં અવતરે. .
આ પરાર્થની ભીનાશ બનશે પૃષ્ઠભૂ. જે પર હું ચિદ્રસને ઝીલી
શકું.
ચિદ્રસ પરમ પ્રાપ્તિ કરાવશે. ચિદ્રસને ૫૨મ રસ પણ કહેવાય છે. સિદ્ધ રસ પણ કહેવાય છે. સદ્ગુરુએ સિદ્ધ કરી આપેલ રસ.
૭૬
ગુરુદેવ ! મારામાં ચિદ્રસને - સિદ્ધરસને ઝીલવાની ક્ષમતા પ્રગટી હોય તો મને એ આપો!
સિદ્ધરસ ધારા વરસાવો ગુરુમૈયા,
પરમાતમ કો પાઉ મૈ;
આનન્દ રસવેદન કર કે ગુરુજી,
પરમાનન્દ પદ પાઉં મૈ.....
સિદ્ધરસની - ચિદ્રસની ધારા મારી પર વરસાવો, ગુરુદેવ ! જેથી હું પરમાત્મસ્વરૂપની આછી સી ઝલક મેળવી શકું.
પ્રગટ્યો પૂરન રાગ