________________
[૨]
: આધારસૂત્ર :
નેમિ જિનેસર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવો જી; આત્મશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો જી...૧
(રાગ, દ્વેષ આદિ સર્વ વિભાવોને છોડીને શ્રી નેમિનાથ પ્રભુએ સ્વરૂપસ્થિતિમાં સ્થિત થવા રૂપ નિજ કાર્ય કર્યું.
જ્ઞાન, દર્શન આદિ સ્વ-શક્તિને પ્રકટ કરીને પ્રભુએ પોતાની સ્વરૂપ દશાના પૂર્ણ આનન્દને માણ્યો.)
૧૪
પ્રગટ્યો પૂરન રાગ