________________
ભેદનો છેદ બે રીતે થશે : એક તો શાશ્વતીના લયમાં: તેરમા ગુણઠાણે. બીજો થોડા સમય માટેનો ભેદ-છેદ. એ અત્યારે થઈ શકે. અરિહન્ત પરમાત્મના દ્રવ્ય, ગુણો કે પર્યાયોનું ધ્યાન કરનાર આત્માની ચેતના તત્કાળ પૂરતી અરિહન્તમયી બને છે. ધ્યાન વડે નિર્મળ બનેલ શુદ્ધ અન્તરાત્મદશારૂપ દર્પણમાં અરિહન્ત પ્રભુના સ્વરૂપ કે ગુણો આદિનું પ્રતિબિમ્બન પડ્યું.
'IO |
નિજતત્ત્વની-આત્મતત્ત્વની તન્મયતા. હવે શુક્લધ્યાન.
ધર્મધ્યાનમાં પ્રભુ ગુણોનું સ્મરણ છે. શુક્લધ્યાનમાં પ્રશસ્ત અવલમ્બનની આવશ્યકતા નથી. સાધકના ગુણો પ્રભુના ગુણો સાથે એકરૂપ થઈને સ્વરૂપ એકત્વ પ્રાપ્ત શુક્લધ્યાનની શુદ્ધતામાં પરિણત થયા છે.'
શુક્લધ્યાનના દ્વિતીય પાદ – એત્વ વિતર્ક અવિચારમાં આરૂઢ મુનિ નિર્વિકલ્પ સમાધિને પામે છે. સ્વરૂપ એકતા પરિપૂર્ણ રૂપે તે દશામાં અનુભવાય છે.
શુક્લધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાનો જી. પછી શુક્લધ્યાનના ત્રીજા અને ચોથા પાયામાં જઈ સિદ્ધત્વને આત્મા પ્રાપ્ત કરે છે. આ રીતે મુક્તિને તે વરે છે.
નિજસ્વરૂપમાં તન્મયતા, શુક્લધ્યાન અને મુક્તિ. ‘લહીયે મુક્તિ નિદાનો જી..” શુક્લધ્યાન મોક્ષનું કારણ છે.
પ્રભુ ! મને તારા ધ્યાનમાં સતત ડૂબેલ રાખને !
૧. ચન્દ્રપ્રભ જિનસ્તવના, દેવચન્દ્રજી, સ્વો, સ્તબક, કડી : ૫ ૨. એજન
૧૧૮
પ્રગટ્યો પૂરન રાગ