________________
[૬]
: આધારસૂત્ર :
અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાશે જી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી...૫
[અપ્રશસ્ત રાગ - કામ રાગ આદિ - નો ત્યાગ કરી વીતરાગ પ્રભુ સાથે પ્રશસ્ત રાગ કરતાં અશુભ કર્મોનો આશ્રવ રોકાઈ જાય છે. (ગુણી પરનો રાગ અને ગુણો પરનો રાગ તે પ્રશસ્ત રાગ છે.)
ગુણરાગ ગુણપ્રાપ્તિ તરફ સાધકને લઈ જાય છે. સ્વગુણોનું ભીતર થયેલું પરિણમન સંવર ભાવને વધારે છે અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરાવે છે.
પરિણામે, આત્મભાવ પ્રકટ થાય છે. ]
૯૮
પ્રગટ્યો પૂરન રાગ