________________
શકાય તેવું : Immovable, Motionless) : પર્વત જેવો હું નિત્ય-નિશ્ચલ છું.
(૪) અહં બોધિવત્ પવિગતઃ (મિ) I વિનંત એટલે વગરનો વિનાનો, વિહોણો; પરં-વિનત એટલે પાર-વિનાનો, અપાર; ગોધ એટલું સાગર. સાગરની જેમ હું અપાર, અસીમ છું. (૫૦૦). અનુવાદ :
આકાશની જેમ હું નિર્લેપ છું, સૂર્યની જેમ હું અન્ય-અપ્રકાશ્ય છું, પર્વતની જેમ હું નિત્ય-નિશ્ચલ છું અને સાગરની જેમ હું અપાર છું. (૫૦૦) * ટિપ્પણ :
જ્ઞાનમૂર્તિ ગુરુદેવે ભીતરની આંખમાં આંજેલાં જ્ઞાનરૂપી આંજણનો પ્રભાવ પોતાના પર કેવો ચમત્કારક નીવડ્યો છે, એનું નિરૂપણ, આ શ્લોકની ચારેય પંક્તિઓમાં શિષ્ય કરે છે.
હકીકતમાં, હવે, તે, પહેલાંનો તે રહ્યો જ નથી : ગુરુદેવે તેને ઉપદેશેલાં આત્મજ્ઞાનનાં સંપર્કથી, તેનામાં, તેના સમગ્ર વ્યક્તિત્વમાં, તેનાં અસ્તિત્વનાં સમસ્ત તંત્રમાં, આમૂલ પરિવર્તન આવી ગયું છે. અને એ પરિવર્તન જેટલું સંપૂર્ણ છે, તેટલું જ અનપેક્ષિત અને અકથ્ય (Un-expected, Un-imaginable) પણ છે !
જેને બ્રહ્મસાક્ષાત્કાર કરવાની સાત્ત્વિક ઇચ્છા હોય, એવો મુમુક્ષુ સાધક તે ગમે તેના સંપર્ક સંબંધમાં આવે, તે છતાં તેણે અવશ્ય પરિપૂર્ણ કરવાની કેટલીક અનિવાર્ય પૂર્વ-શરતો (Pre-conditions) આટલી : એક, જીવન જ એવું છે કે માણસને અનેક વસ્તુઓ-વ્યક્તિઓ-પદાર્થોના સંપર્કમાં આવવાનું તો બને જ, અને તે પણ સતત અને સદા-સર્વદા, તો પણ તેણે તે સર્વથી સંપૂર્ણરીતે, અસક્ત, અસંગ, નિસંગ, નિર્લેપ (Un-attached, Beyond contamination, Un-tainted, Un-polluted) રહેવું જોઈએ. આ બાબતમાં આકાશ (Space, Ether) એક આદર્શ ઉપમાન છે : આકાશમાં અનેક વાદળાં હોય, સતત સંચરતો વાયુ હોય, એ વાદળાં તથા વાયુમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ હોય, મલિનતાઓ હોય, પરંતુ આકાશ જેનું નામ ! એ તો હંમેશ માટે, આ સર્વથી, સંપૂર્ણરીતે નિર્લેપ જ રહે છે. શિષ્ય કહે છે કે “આજે હવે હું, હે ગુરુદેવ ! આપની કૃપાથી, આકાશ જેવો નિર્લેપ બની ગયો છું.” (દં મજાવત્ નેપવિત્ર: શ્મિ ) શ્રુતિ આ ઘટનાની આ પ્રમાણે સાક્ષી પૂરે છે :
आकाशवत् सर्वगतश्च नित्यः । ... બીજી ? આવો સાધક, - સ્થૂલ કે સૂક્ષ્મ – સર્વ પ્રકારના પ્રકાશની બાબતમાં
૯૯૪ | વિવેકચૂડામણિ