________________
કરે છે !” તો “હે કૃપાનિધાન ગુરુદેવ ! આપની ઉદારતા અને કરુણાનાં પરિણામ-સ્વરૂપ આજે તો બ્રહ્મમય બનેલો હું સંપૂર્ણરીતે નિરવયવ અને નિર્વિકલ્પ જ છું, મારે હવે સ્કૂલ-સૂક્ષ્મ-કારણ વગેરે શરીરોના ભેદો રહ્યા નથી. દેશ-કાલ-વસ્તુ વગેરે પરિચ્છેદો(Limitations)થી હું પર થઈ ગયો છું, આપે મારાં સમગ્ર અજ્ઞાનને નિર્મૂળ કરી નાખ્યું છે અને હવે હું પૂરેપૂરો નિર્લેપ અને નિસંગ છું; તો પછી હવે મારામાં કશા સ્કૂલ-સૂક્ષ્મના ભેદ સંભવે જ કેવી રીતે ?”
અને છતાં લોકો તો હજુ પણ અજ્ઞાન-અધ્યાસ વગેરેની એવી જ ભ્રમણા અને એને કારણે સ્ફરેલી ભ્રાન્ત કલ્પનાઓમાં જ રાચે છે અને મારા પર આવાં મિથ્યા આરોપણો કર્યા જ કરે છે !”
લોકોનું આવું ભ્રાન્ત વલણ-વર્તન કોના જેવું છે?'
શિષ્ય આ બાબત એક સમુચિત સામ્યનું આલેખન આ પ્રમાણે કરે છે : કાળ તો હંમેશ માટે, એક, અખંડિત, અવિભાજ્ય અને નિરવયવ છે, એના કોઈ પૂલ ભાગો-વિભાગો-ટુકડા કરી શકાય જ નહીં અને છતાં લોકોએ, પોતાની દુન્યવી સગવડ-સાનુકૂળતા માટે, આવા અવિભાજ્ય અને નિષ્કલ-નિર્વિકલ્પ કાળને પણ યુગો-વર્ષો-અયનો-ઋતુઓ-મહિનાઓ-પક્ષો(Fortnights)-સપ્તાહો-દિવસો-કલાકોમિનિટો-સેકન્ડો વગેરે અનેક વિભાગોમાં વહેંચી નાખ્યો જ છે ને !
કાળ તો સદા-સર્વદા એક અને અખંડ જ છે, અને છતાં તેનામાં, લોકોએ, ભ્રમવશાત અને ભ્રાંત ફુરણાને લીધે, આવાં અયોગ્ય અને મિથ્યા આરોપણો કર્યા
એ જ રીતે, શિષ્ય, સખેદ, સદ્ગુરુને જણાવે છે કે “મારે હવે કોઈ પણ પ્રકારનું શરીર જ રહ્યું નથી ત્યારે, તો પછી, મારામાં સ્કૂલ-સૂક્ષ્મ જેવા ભેદો શક્ય "જ નથીઃ હવે તો હું આત્મા જ છું, મારામાં દેહાદિબુદ્ધિનું આરોપણ એક ભ્રમણામાત્ર છે, કલ્પનામાત્ર છે ! અને એવું જ ક્રિયમાણ, સંચિત, આગામી, પ્રારબ્ધ વગેરે કર્મોનું ! જયાં શરીર જ નથી ત્યાં કર્મો કેવાં ? ક્યાંથી ? કેવી રીતે ?”
શાસ્ત્રો અને પુરાણોએ કાળનું વિભાજન આ રીતે કર્યું છે : ૧૮ પળની એક કાષ્ઠા અને ૩૦ કાષ્ઠાની એક કલા. અને આવી કાષ્ઠા અને કલાનાં માપ (Measurements) પ્રમાણે, ૪૩,૨૦૦ વર્ષોનો એક યુગ(કલ્પો !
પરંતુ નાદ, બિન્દુ અને કલા જેવા સર્વ ભાગો-વિભાગોને અતિક્રમી ગયેલા આત્માને આવા કાલ્પનિક ભેદો, અવયવો અને વિકલ્પો સાથે શો સંબંધ ?
આમે ય, મિથ્યા એવા આ સમગ્ર જગતની કલ્પના પણ સત્ય એવાં બ્રહ્મરૂપી
- વિવેકચૂડામણિ | ૯૮૯