________________
પેલા દર્દીને તો સંપૂર્ણ સાજા થવા માટે હોસ્પિટલમાં ઘણા દિવસ રહેવું પડે : સંસારસંતાપમાં સળગી રહેલા આ શિષ્યને જે રાહત મળી, તે તો તરત જ, ક્ષણવારમાં જ (સાત), - આંખના એક પલકારામાં જ (In a twinkle of the eye) !
આવો છે અસામાન્ય જાદુ, - સદ્ગુરુના કૃપા-ફટાક્ષનો !
અને આવો જાદુ શક્ય બને છે એક જ કારણે, - શિષ્યનાં મન-હૃદય જેમાં એકાકાર થઈ ગયાં છે તે બ્રહ્મ છે “નિષ્કલ', નિષ્ક્રિય', “શાંત', “નિરવદ્ય' અને નિરાકાર' ! - જે પોતે જ શિષ્ય માટે તો છે, “શાશ્વત આત્મપદ' - (The superlative state of the Supreme)!
શ્લોકનો છંદ : રથોદ્ધતા (૪૮૮).
૪૮૯
धन्योऽहं कृतकृत्योऽहं विमुक्तोऽहं भवग्रहात् ।
नित्यानन्दस्वरूपोऽहं पूर्णोऽहं त्वदनुग्रहात् ॥४८९॥ શ્લોકનો ગુજરાતી પાઠક
ધન્યોડહં કૃતકૃત્યોડહં વિમુફતોડહં ભવગ્રહાટુ
નિત્યાનન્દસ્વરૂપોડહં પૂર્પોડહં ત્યદનુગ્રહાત્ l૪૮૯ શ્લોકનો ગદ્ય અન્વય :
त्वत्-अनुग्रहात् अहं धन्यः, अहं कृतकृत्यः, अहं भवग्रहात् विमुक्तः; મર્દ નિત્ય-નાનન્દસ્વરૂપ, મદં પૂર્ણ: (૨ Hિ) II૪૮૬ શબ્દાર્થ :
––– નુ હાર્દૂ, – આપની કૃપા વડે; મવપ્રહાત્ વિમુp: I સંસારનાં બધનથી હું સંપૂર્ણરીતે મુક્ત થયો છું. (૪૮૯). અનુવાદ :
(હે ગુરુદેવ !) આપની કૃપાથી હું સંસારરૂપી મગરથી મુક્ત થયો છું, ધન્ય છું, કૃતકૃત્ય થયો છું; હું નિત્ય-આનંદ-સ્વરૂપ થઈને પરિપૂર્ણ થયો છું. (૪૮૯). ટિપ્પણ:
આમ તો, આખોય શ્લોક એવો સરળ-સુબોધ-સહેલો છે કે ટિપ્પણ-રૂપે અહીં કશું ઊમેરવાનું રહેતું જ નથી. હકીકતમાં, એવી કશી જરૂર જ નથી, તે છતાં
૯૭૦ | વિવેકચૂડામણિ