________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
સઘનં ચિદ્ઘનં નિત્યમાનન્દનમક્રિયમ્ । એકમેવાદ્રયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ।।૪૬૬॥
શ્લોકનો ગદ્ય અન્વય :
શ્લોકનો ગદ્ય અન્વય, શ્લોકમાંનાં પદ્ય પ્રમાણે જ છે, એટલે કે શ્લોકમાં ‘દંડાન્વય' છે. (૪૬૬)
શબ્દાર્થ :
શ્લોકમાં કશી વાક્યરચના છે જ નહીં, સર્વ શબ્દો બ્રહ્મનાં વિશેષણો તરીકે જ પ્રયોજાયાં છે, તેથી શ્લોકમાં ‘મુખ્ય’ કે ‘ગૌણ’ વાક્યોનો પ્રશ્ન જ રહેતો નથી. વળી, આ પહેલાં નિર્દેશ કરવામાં આવ્યો છે, તે પ્રમાણે, શ્લોકનું ચોથું ચરણ. પુનરુક્ત થયું છે; એટલે એને પણ સમજાવવાનું રહેતું નથી અને ત્રીજાં ચરણમાંનું વિશેષણ - મેવાદયમ્ - પણ, આ પહેલાંના શ્લોકમાં હતું તે જ સ્વરૂપે અહીં પુનરુક્ત થયું છે.
એટલે હવે પ્રથમ પંક્તિમાંનાં, બ્રહ્મનાં પાંચ વિશેષણોનો અર્થ જોઈ જઈએ : (૧)-(૨)-(૩) સત્યન, વિદ્-ધનં, આનન્વયનમ્ । શ્રુતિમાં બ્રહ્મનાં સ્વરૂપ માટેનો શબ્દ, - ‘સચ્ચિદાનન્દ’ (સત્-ચિત્-આનન્દ)' સુપ્રસિદ્ધ અને સર્વત્ર પ્રચલિત છે. સત્ એટલે ‘સત્તા’, અસ્તિત્વ (Existence); વિત્ એટલે વિશુદ્ધ જ્ઞાન (Pure intelligence), આત્મજ્ઞાન (Self-knowledge), શાશ્વત જ્ઞાન (Eternal Knowledge), અને આનન્દ્વ એટલે શાશ્વત, અ-પાર્થિવ અને સૂક્ષ્મ આનંદ (Eternal, Divine and Subtle Bliss).
અહીં આ ત્રણેય શબ્દોને અંતે ધન-શબ્દ જોડવામાં આવ્યો છે, તેનો સંકેત એ છે કે બ્રહ્મનાં સ્વરૂપમાં જે સત્, વિત્ અને આનન્દ્ર છે, તે, વિશુદ્ધ, શાશ્વત અને સૂક્ષ્મ તો છે; એટલું જ નહીં પરંતુ તેમાં એ ત્રણેયનું ઘનિષ્ઠ તત્ત્વ છે, - એટલે કે બ્રહ્મમાં એ ત્રણેયનો ‘સાર’ છે, એનું ‘હાર્દ' (Essence) છે, એનું ઘનીભૂત’ તત્ત્વ છે.
(૪) નિત્ય - શબ્દ, બ્રહ્મનાં અનુસંધાનમાં, આ પહેલાં, અનેક વાર, પ્રયોજાઈ ગયેલો છે. આ નિત્ય - શબ્દને, સદા-સર્વદા, હંમેશાં, - એવા અર્થમાં, સદ્ઘન, ચિન અને આનંદઘન, - એ ત્રણેયનાં વિશેષણ તરીકે પણ ‘સમજી’ શકાય અને આ પહેલાંના શ્લોકમાં (૫) અવિયિત્ પ્રયુક્ત હતો જ, એટલે અયિ શબ્દને પણ સમજાવવાનો રહેતો નથી. (૪૬૬)
૯૨૦ / વિવેકચૂડામણિ