________________
પસંદ કર્યો છે કે આવો માણસ, જેને અંગ્રેજીમાં Rake કે Libertine કહેવામાં આવે છે, તેની વિષયભોગની વૃત્તિ બેફામ અને અનિયંત્રિત રીતે સતત ચાલતી હોય છે; અને છતાં આવા પુરુષની કામુકતા પણ પોતાની માતાની હાજરીમાં કુંઠિત થઈ જાય છે : માતાની ઉપસ્થિતિનો પ્રભાવ એવો પ્રબળ હોય છે કે આવા અત્યંત કામાસક્ત પુરુષની કામવાસના પણ માતાની હાજરીમાં સંપૂર્ણરીતે નિષ્ક્રિય અને નિરુદ્ધ થઈ જાય છે, નિયંત્રણમાં આવી જાય છે ! આ જ દૃષ્ટાંતનું અર્થઘટન આ રીતે પણ થઈ શકે : આ પુરુષની કામવાસના બેફામ, કશી વિવેકબુદ્ધિ-વિનાની અને અધમ કોટિની છે; અને અંતે, માતા પણ એક ‘સ્ત્રી’ તો છે જ ને ! પરંતુ “મા તે મા !” પોતાની માતાનાં દર્શને જ, એનો સહજ પુત્રભાવ પ્રગટી જાય છે, માતા પ્રત્યેની પૂજ્યતા અને આદરની લાગણી આવિષ્કૃત થઈ જાય છે અને આવા પવિત્ર સંદર્ભમાં, એની પેલી કામુકતા સદંતર નષ્ટ થઈ જાય છે !
જે ચમત્કારિક સુ-પરિણામ માતાની ઉપસ્થિતિને કારણે પેલા અત્યંત કામુકને સુલભ બની ગયું, એવું જ, અથવા એથીયે વધારે ચમત્કૃતિપૂર્ણ અને સવિશેષ સારું, પરિણામ, જ્ઞાની-મનીષીની બાબતમાં, પૂર્ણ-આનંદ-સ્વરૂપ બ્રહ્મજ્ઞાનનાં પ્રાકટ્યથી નિષ્પન્ન થાય !
સત્યસ્વરૂપ બ્રહ્મતત્ત્વની અદ્વિતીયતાનાં સમ્યગ્-જ્ઞાનનો આ જ મહિમા, શ્લોક૪૪૪માં પેલા પૂર્વપક્ષની દલીલનું ખંડન કરતી વખતે, આચાર્યશ્રીને અભિપ્રેત હતો. पूर्णानन्दे ब्रह्मणि ज्ञाते (सति), એ વાક્યરચના સતિ-સપ્તમીની છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૫)
૪૪૬
-
निदिध्यासनशीलस्य बाह्यप्रत्यय ईक्ष्यते । ब्रवीति श्रुतिरेतस्य प्रारब्धं फलदर्शनात् ॥४४६॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
નિદિધ્યાસનશીલસ્ય બાહ્યપ્રત્યય ઈક્ષ્યતે । બ્રવીતિ શ્રુતિરેતસ્ય પ્રારબ્ધ ફલદર્શનાત્ ॥૪૪૬થી
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
निदिध्यासनशीलस्य (मनुष्यस्य अपि ) बाह्यप्रत्ययः ईक्ष्यते । (तत्) તસ્ય (વ્રહ્મનિષ્ઠસ્ય) પ્રારi (મસ્તિ કૃતિ) પાવર્શનાત્ શ્રુતિ: પ્રીતિ ૪૪૬ા વિવેકચૂડામણિ / ૮૭૭