SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાં જ્ઞાનીના ફરીથી પ્રવૃત્ત થવા માટેનાં કારણ તરીકે, પૂર્વપક્ષે, પૂર્વજન્મની તેની વાસનાના વેગને નિરૂપ્યું છે; પરંતુ સિદ્ધાંતી તરીકે, આચાર્યશ્રીને, પૂર્વપક્ષની આ દલીલ માન્ય અને સ્વીકાર્ય નથી; તેથી, હવે, તેઓશ્રી, પૂર્વપક્ષની ઉપર્યુક્ત દલીલનું ખંડન, આ પ્રમાણે કરે છે : પૂર્વપક્ષ, પુરાણી વાસનાઓ પર ભાર મૂકીને, પોતાનું વક્તવ્ય રજૂ કરે છે, પરંતુ આચાર્યશ્રી તો તેનાં આ વક્તવ્યનો છેક મૂળમાંથી જ છેદ ઊડાડી નાખે છે : જીવ અને બ્રહ્મનાં એકત્વનું સમ્ય-જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, સાધકને, સત્-બ્રહ્મ-તત્ત્વ સિવાય બીજું કશું જણાતું જ નથી અને આવા જ્ઞાન-અગ્નિમાં તેની પેલી વાસના શેકાઈ જાય છે; અને શેકાઈ ગયેલાં બીજવાળી (Roasted) વાસના મંદ પડી જાય છે, તેની સર્જનશક્તિ નાશ પામે છે; સાધકનાં ચિત્તમાં હજુ પણ તે પડી રહી હોય તો પણ, પોતાની સર્વ સર્જન-શક્તિઓ ગુમાવી બેઠેલી (Impotent) વાસનાને પોતાના કશા વેગ કે આવેગ રહેતા જ નથી; તો પછી, જ્ઞાનીને સંસારમાં પ્રવૃત્ત કરવાનું કાર્ય તે કરી જ શી રીતે શકે ? કૃષિશાસ્ત્ર(Agriculture)નો એક સુ-સ્થાપિત સિદ્ધાંત છે કે અનાજનાં મૂળ દાણા(બીજ)ને જો અંગ્નિમાં મૂંજી નાખવામાં આવ્યાં હોય તો, જમીન ગમે તેટલી ફળદ્રુપ હોય, ખાતર પણ ઉત્તમ હોય અને પાણીની વ્યવસ્થા પણ પૂરતી હોય તો પણ, વાવવામાં આવેલા આવા દાણા ઊગી કે અંકુરિત થઈ શકે નહીં ! બસ, આ જ દલીલના આધારે, આચાર્યશ્રી, વાસનાના વેગ બાબતની, પૂર્વપક્ષની દલીલનું સમૂળગું ખંડન કરી નાખે છે. સમ્ય-જ્ઞાન-પ્રાપ્તિ (Enlightenment) પહેલાં મનુષ્ય ગમે તેવો દુરાચારી હોય તો પણ, આવી પ્રાપ્તિ પછી, તેની વાસનાની સર્વ પ્રજનન-શક્તિ નષ્ટ થઈ ગઈ હોવાથી, તેને માટે, સંસારમાં પુનઃ પ્રવૃત્ત થવાની શક્યતા રહેતી જ નથી ! જીવ-બ્રહ્મ-ઐક્યનું સમ્યગુ-જ્ઞાને આવું શાશ્વત, અનંત, સ્વયંપ્રકાશ અને ચિદાનંદ-સદાનંદ-મય હોય છે ! આવાં જ્ઞાન-પ્રકાશ સમક્ષ તો, ભ્રાંતિજન્ય પેલી વાસનાની હાલત તો, પરોઢના ઉજાસ પાસેના અંધકાર જેવી જ થઈ જાય છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૪૪૪) ૪૪૫ अत्यन्तकामुकस्यापि वृत्तिः कुण्ठति मातरि । तथैव ब्रह्मणि ज्ञाते पूर्णानन्दे मनीषिणः ॥४४५॥ વિવેકચૂડામણિ | ૮૭૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy