________________
અહંકાર અને મમતાના ભાવોનું વર્જનકેવી રીતે આચારિત કરવું, તે વિશે સ્વપ્નાવસ્થામાં થયેલા અનુભવ વિશેનાં આપણા પ્રતિભાવને લક્ષમાં લેવા જેવો છે ઃ સ્વપ્નમાં આપણે જે કંઈ જોયું-અનુભવ્યું તે, જાગ્રત-અવસ્થામાં પાછાં આવતાં જ, આપણે એના વિશેના સઘળા અહંભાવ-મમભાવને. ચિત્તમાંથી દૂર કરી દઈએ છીએ : એના વિશે કશી જ "I"-ness કે "My"-ness આપણાં ચિત્તમાં રહેતી નથી, ટકતી નથી, સ્વયમેવ બધું નાબૂદ થઈ જાય છે. બસ, એવો જ અભિગમ, જાગ્રત-અવસ્થામાં પણ, શરીર-વગેરે વિશે અને કરવામાં આવતાં કર્તવ્ય-કર્મો વિશે, કેળવવો જોઈએ.
અને મનુષ્યનું તો જીવન જ એવું છે કે તેમાં, Comedies and Tragedies એ બંને પ્રકારની ઘટનાઓ બનતી જ રહેતી હોય છે. એમાં જરા પણ સંકળાયા કે સંડોવાયા વિના, એ જીવન-નાટિકાના એક તટસ્થ પ્રેક્ષક તરીકે, એને આપણે જોયા કરવાનું ! જીવન્મુક્ત તો, જાહેર રસ્તા પર પોલિસની કે લશ્કરની Parade ચાલતી હોય એમ, જીવનની સતત ચાલી રહેતી “પરેડને પણ, તદ્દન તટસ્થભાવે કે સાક્ષીભાવે જોયા કરવાની !
બસ, આ જ સાચી ઉદાસીનતા, એટલે કે અનાસક્તિ ! * ,
મહાત્મા ગાંધીએ ગીતાને “અનાસક્તિયોગના પુસ્તક તરીકે ઘટાવ્યું છે, તે પણ આ જ અર્થમાં !
શ્લોકનો છંદઃ અનુરુપ (૪૩૭)
૪૩૮
विज्ञात आत्मनो यस्य ब्रह्मभावः श्रुतेर्बलात् ।
भवबन्धविनिर्मुक्तः स जीवन्मुक्तलक्षणः ॥४३८॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વિશાત આત્માનો યસ્ય બ્રહ્મભાવઃ શ્રુતબલાતુ!
ભવબશ્વવિનિર્મફતઃ સ જીવન્મફતલક્ષણઃ I૪૩૮ શ્લોકનો ગદ્ય અન્વય :
श्रुतेः बलात् यस्य आत्मनः ब्रह्मभावः विज्ञातः, भवबन्धविनिर्मुक्तः (૨), સ: નવમુpક્ષણ: (મતિ) ૪રૂા.
૮૬૦ | વિવેકચૂડામણિ