________________
જરા પણ અચકાયા વિના, તરત જ માન્ય રાખી. આ પ્રસંગે, કુવિકુલગુરુ કાલિદાસનું, ‘અર્થાન્તરન્યાસ’-એ અલંકારવાળું, આ નિરીક્ષણ, આપણાં આ પ્રસ્તુત અનુસંધાનમાં, સમુચિત સમર્થનરૂપ બની રહે છે :
विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांस्त्रि त एव धीराः । (“કુમારસંભવ” ૧, ૫૯) (“વિકારનું કારણ પોતાની સમક્ષ જ મોજૂદ હોવા છતાં, જેમનાં ચિત્તમાં કશી જ વિકૃતિ ન ઉદ્ભવે, તેઓ જ, સાચા અર્થમાં, ધીર એટલે કે દૃઢ-વૈરાગ્ય-વાન ગણાય !”)
ભગવાન શંકરના પરાકાષ્ઠા-સ્થિત વૈરાગ્યની પ્રતીતિ કરાવતો પ્રસંગ આપણે જોયો. આવા સાચા વૈરાગ્યને કારણે જ એમનો વિકાર’-ત્યાગ ટકી શક્યો. આવા નક્કર વૈરાગ્યની પ્રશસ્તિ, મધ્યકાલીન ભક્ત-કવિ નિષ્કુળાનંદનાં નીચેનાં ભજનમાંથી મળે છે :
?
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાય જી; તે કેમ કરીને તજાય જી દેશ રહી ગયો દૂર જી; માંહી મોહ ભરપૂર જી !
અંતર ઊંડી ઇચ્છા રહે, વેષ લીધો વૈરાગ્યનો, ઉપર વેષ અચ્છો
બન્યો,
૭
૭
ઉષ્ણ રતે અવની વિષે, ઘન વરસે વન પાંગરે,
O
બીજ નવ દીસે બહાર જી; ઇન્દ્રિય-વિષય-આફાર જી !
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ ซ !
♦
પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી; નિષ્કુળાનંદ એ નરનો, વણસમજ્યો વૈરાગ જી બ્રહ્મજ્ઞાનની પરાકાષ્ઠા :
૭
અહં બ્રહ્માસ્મિ । એ વેદ-મહાવાક્યને તો મોક્ષાર્થી સાધકે આત્મસાત્ કર્યું જ હોય, પરંતુ આવા આત્મસાક્ષાત્કારની પરિસ્થિતિમાં પણ તેના અહંભાવનો ઉદય જરાય ન થાય તો જ, તેનો એ આત્મબોધ પરાકાષ્ઠાએ પહોંચ્યો ગણાય. આવી સિદ્ધિનું, આ બે રીતે, અર્થઘટન કરી શકાય :
(૧) આત્માનું આવરણ કરી રહેલા પાંચ કોશોમાંનો પોતાનો અહંભાવ પણ ૮૩૪ | વિવેકચૂડામણિ