________________
અનુસંધાનમાં, પંડિતોએ કરેલાં “નિરીક્ષણ'નું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું હોવાથી, એ નિરીક્ષણનું તાત્પર્ય બરાબર સમજાય તે માટે, આપણે પણ એનું નિરીક્ષણ’ ફરી એક વાર કરી લઈએ :
“દોરડું અંધારામાં પડ્યું હતું એટલે, ત્યાંથી પસાર થનાર માણસને, તે “સાપરૂપે દેખાયું. હકીકતમાં અને મૂળમાં, સાપ તો ત્યાં હતો જ નહીં; અંધારાને લીધે, સાપનું તો, દોરડાંરૂપી “અધિષ્ઠાન” (Substratum) પર, “આરોપણ થયું, એટલે કે સાપ એ “આરોપ્ય” છે અને દોરડું એ “અધિષ્ઠાન' છે.
અહીં સમજવાનું એ રહે છે કે “દોરડું હતું તેથી જ તેમાં, અંધારાંને લીધે, સાપનું બ્રાંત દર્શન થયું. અજવાળું આવતાં, સાપ દેખાતો બંધ થઈ ગયો અને જે ખરેખર હતું તે માત્ર દોરડું જ ત્યાં રહ્યું ! સાપ તો હતો જ નહીં અને હવે પણ રહ્યો નહીં ! વળી, દોરડાંમાં જ સાપ દેખાયો હતો અને ફરી પાછો એ દોરડામાં જ વિલીન થઈ ગયો ! અને “સાપ દેખાયો ત્યારે પણ તેનું ભ્રાંત-દર્શન દોરડાને લીધે જ થયું હતું, તો પછી, સાપ દોરડાંથી જૂદો-ભિન્ન કેવી રીતે હોઈ શકે ? દોરડું અને સાપ, - એ બંને, એકીસાથે તો, ક્યારેય, દેખાયાં જ નહોતાં, કારણ કે એક(દોરડા)માં જ બીજાં(સાપ)નું મિથ્યા દર્શન થયું હતું.
આથી જ, પંડિતોએ, ઊંડું મનોમંથન કરીને, આ દાંત વિશેનું પોતાનું નિરીક્ષણ” (નિરીક્ષિત) આ પ્રમાણે, પ્રતિપાદિત કર્યું કે “આરોપ્ય” (સાપ) અને અધિષ્ઠાન' (દોરડું) વચ્ચે કોઈ ભિન્નતા કે ભેદ નથી, એ બને, હકીકતમાં, એક જ છે (અનન્યત્વ).
પરંતુ તો પછી, સાપનો વિકલ્પ આવ્યો ક્યાંથી? - આવી આશંકાનું સમાધાન કરતાં, આચાર્યશ્રી કહે છે કે, આવી આશંકા સ્વાભાવિક છે, પરંતુ સર્પ-દર્શન-રૂપી વિકલ્પ ત્યાં સુધી જ ટકે છે, જયાં સુધી અજવાળું ન આવે અને તે કારણે પેલી ભાંતિ ચાલુ રહે ! (વિન્ય: પ્રાન્તિનીવનઃ )
પંડિતોનાં આવાં નિરીક્ષણનાં પરિણામે, એનાં મમરૂપે, આપણે જે સમજવાનું રહે છે તે તો એટલું જ કે બ્રહ્મ મૂળભૂત અધિષ્ઠાન” છે; જે જગત હકીકતમાં છે જ નહીં, તેનું તો અજ્ઞાનને કારણે, અધિષ્ઠાન-રૂપ, મૂળ બ્રહ્મ પર માત્ર “આરોપણ” જ થયું છે અને જગતની સત્યતા તો માત્ર ત્યાં સુધી જ ચાલુ રહે, જ્યાં સુધી અજ્ઞાનજન્ય ભ્રાંતિ ચાલુ રહે ! સાચી વાત તો એ છે કે જગત' (આરોપ્ય) અને બ્રહ્મ'(અધિષ્ઠાન) બંને એક જ છે, બંને વચ્ચે કોઈ ભેદ નથી !
વિકલ્પ' એટલે એવી વસ્તુનું જ્ઞાન, જેના વિશે મનમાં કોઈક આકારનો ભાસ થાય, પરંતુ મૂળમાં તે વસ્તુનું અસ્તિત્વ જ ન હોય ! - (શબ્દજ્ઞાનાનુપાતી
૭૯૪ | વિવેકચૂડામણિ