________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
એકાત્મકે પરે તત્ત્વે ભેદવાર્તા કથં ભવેત્ । સુષુપ્તૌ સુખમાત્રાયાં ભેદઃ કેનાવલોક્તિઃ ॥૪૦૪|| શ્લોકનો ગદ્ય અન્વય ઃ
एकात्मके परे तत्त्वे भेदवार्ता कथं भवेत् ? । सुखमात्रायां सुषुप्तौ भेदः केन अवलोकित: ? ॥४०४॥
શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) મેવાર્તા જયં મવેત્ ? । વાર્તા એટલે વાત, એમ કહેવું તે; કથન, વિધાન. ભેદની વાત જ કેમ થઈ શકે ? કેવી રીતે સંભવે ? શક્ય બને ? કોનાં અનુસંધાનમાં આ પ્રશ્ન પૂછાયો છે ? - જાત્મપરે તત્ત્વ । ાત્મ એટલે, જે માત્ર એક જ છે, અદ્વિતીય, એકરૂપ, કેવલરૂપ છે; પર એટલે પરમ; અદ્વિતીય એવા પરમ-તત્ત્વની બાબતમાં ભેદ અંગેનું આવું વિધાન શી રીતે સંભવે ?
(૨) મેવ: ન અવલોવિત: ? । અવલોજિત એટલે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે; ભેદ કોણે જોયો છે ? શું કોઈએ ભેદ અનુભવ્યો છે ? કયા સમય અંગે આવો સવાલ કરવામાં આવ્યો છે ? - સુષુપ્તૌ। ત્રણ અવસ્થાઓમાંની સુષુપ્તિ-અવસ્થામાં, એટલે કે ગાઢ-નિદ્રામાં; આ સુષુપ્તિ-અવસ્થા કેવી છે ? सुखमात्रायाम् । જેમાં માત્ર સુખ જ અનુભવાય છે, એવી; જ્યાં ફક્ત સુખનો જ અનુભવ થાય છે, એવી. આવી, માત્ર સુખાનુભૂતિ-આપતી ગાઢનિદ્રામાં શું કોઈએ કદી ભેદ અનુભવ્યો છે ? (૪૦૪)
અનુવાદ :
-
એક-સ્વરૂપ એવાં પરમ-તત્ત્વ વિશે ભેદની વાત સંભવે જ શી રીતે ? જેમાં માત્ર સુખનો જ અનુભવ થાય છે, એવી ગાઢનિદ્રામાં ભેદ કોણે જોયો છે ? (૪૦૪) ટિપ્પણ :
પરમ-તત્ત્વમાં ભેદની સંપૂર્ણ અસંભવિતતાના એ જ મુદ્દાને અહીં પણ, જરા જૂદા તર્કના આધારે, દઢીકૃત કરવામાં આવ્યો છે.
ભેદ એટલે જ ભિન્નતા, વૈવિધ્ય, અનેકતા (Variety, Plurality); પણ પરમતત્ત્વ તો સર્વદામાત્ર એક જ હોય છે; એના અનુસંધાનમાં, કોઈ ‘બીજું' (Second, ‘દ્વિતીય’) કે ‘અન્ય' (Other) અસ્તિત્વ જ ધરાવતું નથી : ‘એક’માં ‘અનેક’ની ૭૮૬ | વિવેકચૂડામણિ