________________
ભેદની અસંભવિતતાનું જડબેસલાક પ્રતિપાદન કરવા માટે, અહીં જે ઉપમા યોજવામાં આવી છે, તે, યથાપૂર્વ, સચોટ, સમુચિત અને કાર્યસાધક છે : અજવાળું આવે એટલે અંધારાંને, એ જ અજવાળામાં, ઓગળી ગયા વિના છૂટકો જ નહીં ! તેજ અને તિમિર, એ બે એવાં સંપૂર્ણ પરસ્પર-વિરોધી કટ્ટર તત્ત્વો છે કે તે બંને એક જ સ્થળે, એક જ સમયે, એકી-સાથે (Simultaneously) અસ્તિત્વ ધરાવી શકે જ નહીં ! પ્રકાશ ન હોય ત્યાં સુધી જ અંધકારનો પ્રભાવ ! જેવો પ્રકાશ પ્રગટ્યો, એવો જ અંધકારનો અને એના પ્રભાવનો પણ “અભાવ !'
વિશ્વપ્રસિદ્ધ કવિ-નાટ્યકાર “શેફસ્પીયરે” (Shakespeare) પોતાનાં એક નાટકમાં, વીર-નાયક (Hero) સીઝર(Caesar)નાં પરાક્રમની પ્રશંસા કરતાં, એનાં સંદર્ભમાં, માત્ર આ ત્રણ જ ક્રિયાપદો યોજ્યાં છે :
"He came, he saw, he conquered !" તે સમરાંગણમાં “આવ્યો', તેણે શત્રુસેના સામે જોયું', કે તરત જ શત્રુઓ શરણે આવી ગયા અને તે જીતી ગયો !”
અમાસની મધરાત્રિના ઘેરા, ઘનઘોર, કાળાં-ભમ્મર અને ભયંકર અંધકારનું સામ્રાજ્ય ક્યાં સુધી ચાલુ રહે ? પૂર્વદિશાનાં પ્રાંગણમાં ભગવાન સવિતા-નારાયણનો પ્રવેશ થાય ત્યાં સુધી જ ! આ અનુસંધાનમાં તો સૂર્યનું “આવવું” (Came) જ પર્યાપ્ત છે, એ કશું જુએ” (Saw), તે પહેલાં તો પેલો “શત્રુ” (અંધકાર) તો અદશ્ય જ થઈ ગયો ! પ્રકાશના ભગવાન તો “આવ્યા” (Came) અને એ જ ક્ષણે “જીતી ગયા” (Conquered) ! એમના પ્રવેશ (Entry)ની ક્ષણે જ અંધકારની “નિષ્ક્રાંતિ” (Exit) ! તેજમાં તિમિરનો લય થઈ ગયો(ગણિ તમ: પ્રતીનY) !
શ્લોકમાંનો તમ:-શબ્દ અજ્ઞાનના અંધકારનો પણ સૂચક છે : આત્મજ્ઞાનનાં અજવાળામાં ભ્રાંતિનાં કારણરૂપ અંધારું પણ “અલોપ' થઈ જાય !
સાચું જ કહેવાયું છે કે “વિભેદને પેદા કરનાર અજ્ઞાનનો પૂરો નાશ થઈ જાય, ત્યારપછી આત્મા અને બ્રહ્મ વચ્ચેનો મિથ્યા ભેદ કોણ કરી શકશે ? -
विभेदजनकेऽज्ञाने नाशमात्यन्तिकं गते । . आत्मनो ब्रह्मणो भेदं असन्तं कः करिष्यति ॥
શ્લોકનો છંદઃ અનુષુપ (૪૦૩)
૪૦૪ एकात्मके परे तत्त्वे भेदवार्ता कथं भवेत् ।
सुषुप्तौ सुखमात्रायां भेदः केनावलोकितः ॥४०४॥ ફર્મા - ૫૦
વિવેચૂડામણિ | ૭૮૫