________________
અપેક્ષા રાખે છે. વળી, દેશ-કાળ વગેરે ઉપાયો પણ આ બાબતોમાં સહકારી બને છે. (૧૪).
- ટિપ્પણ :- “ઉપાય' ચર્ચા-શાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. “ઉપાય” એને કહેવામાં આવે છે, જેનો ઉપયોગ ચર્ચાનું ફળ મળે ત્યાં સુધી જ કરવામાં આવે છે, પરંતુ ત્યારપછી તરત જ જેને છોડી દેવામાં આવે છે :
उपादेयापि ये हेयास्तान् उपायान् प्रचक्षते । અહીં તો આધ્યાત્મિક ચર્ચાનો જ સંદર્ભ છે, પરંતુ “અર્થશાસ્ત્ર'(Politics)માં, શત્રુ પર વિજય મેળવવા માટે, કૌટિલ્ય, આ ચાર “ઉપાયોનો નિર્દેશ કરે છે : સામ' (સમજાવટ), 'દાન' (લાંચ-લાલચ), “ભેદ' (શત્રુ અને એના મિત્રો વચ્ચે ભંગાણ પાડવું) અને “દંડ' (યુદ્ધ કરીને શત્રુને હંફાવવો, હરાવીને તેને સજા કરવી). પરંતુ આ પ્રકારના ઉપાયો, દેખીતી રીતે જ, અહીં અપ્રસ્તુત છે.
અહીં, પ્રસ્તુત અનુસંધાનમાં તો, ચર્ચામાં, રસપૂર્વક, અધિકારપૂર્વક, અભિનિવેશ-પૂર્વક ભાગ લઈ શકે એવા તજજ્ઞો(Experts)ની જરૂર રહે, પરંતુ ચર્ચા-સભાના આયોજન માટે, જો સમુચિત સ્થળ અને સાનુકૂળ સમયની પસંદગી ન કરવામાં આવી હોય તો, આવી સભાઓ નિષ્ફળ થઈ હોય કે ભાંગી પડી હોય, એવા અનેક પ્રસંગો ટાંકી શકાય; એટલે, મૂળ મહત્ત્વ પેલા અધિકારીઓનું, છતાં તેમાં સહાયરૂપ બની રહે એવા, દેશ-કાળ વગેરે ઉપાયોની પણ ઉપેક્ષા ન કરવી જોઈએ, એ તાત્પર્ય છે.
શ્લોકનો છંદ : અનુપુપ (૧૪) ૧૫
, अतो विचारः कर्तव्यो जिज्ञासोरात्मवस्तुनः ।
समासाद्य दयासिन्धुं गुरुं ब्रह्मविदुत्तमम् ॥ १५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ –
અતો વિચાર કર્તવ્યો જિજ્ઞાસોરાત્મવસ્તુનઃ | સમાસાઘ દયાસિન્ધ ગુરું બ્રહ્મવિદુત્તમમ્ II ૧૫ //
શ્લોકનો ગદ્ય અન્વય - પ્રતિ:, સિવું વ્રવિદુર | સમાસ, વિજ્ઞાણોઃ આત્મ-વસ્તુન: વિવાદ: વર્તવ્યઃ || ૧૧ ||
શબ્દાર્થ – પ્રત: આથી, એટલે, આ કારણે; વર્તવ્ય: - આત્મતત્ત્વ વિશે ઊંડા વિચાર-ચિંતન-મનન કરવાં જોઈએ, નિજ્ઞાતોઃ જાણવાની ઇચ્છાવાળો, જ્ઞાન મેળવવા માગતો, માત્મવસ્તુ આત્મતત્ત્વ વિશેના મૂળ મુદ્દા પર, પુરું સમસાદ્ય - ગુરુને, આચાર્યને, અધ્યાપકને મેળવીને કેવા ગુરુ? બે વિશેષણો આ પ્રમાણે છે : યાબ્ધિ -દયાસાગર, દયા-કરુણા-કૃપાના દરિયા જેવા, અને વહ્મવિદુતમમ્ – ચર્ચાનો, સ્વાધ્યાયનો વિષય છે, બહ્મ, આત્મા; એટલે એ વિષયમાં પૂરા જાણકાર, વિદ્વાન, બ્રહ્મકૃત વિદ્વાન, અને એમાંયે ઉત્તમ એવા. (૧૫)
૭૪ | વિવેકચૂડામણિ