________________
નિર્વિશેષ બ્રહ્મમાં ભેદ સંભવે જ શી રીતે ? (૪૦૧)
ટિપ્પણ :
-
પારમાર્થિક ‘સત્તા’(Existence)ની દૃષ્ટિએ તો સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર સત્ય વસ્તુ એટલે બ્રહ્મ; અને બ્રહ્મ તો એક, અદ્વિતીય અને અખંડ છે. જોવાની ક્રિયા ચાલતી હોય ત્યારે, એક જોનાર (Seer), બીજું જોયેલું (Seen) અને ત્રીજું દર્શન, - એમ ત્રણ ઘટકો, સામાન્ય રીતે, ભિન્ન-ભિન્ન હોય; પરંતુ બ્રહ્મ તો કશાં ‘બીજાંપણાં' ('Other'-ness) વિનાનું એક જ તત્ત્વ છે, તો પછી એનાં અનુસંધાનમાં બીજું”-ત્રીજું’ કોણ હોઈ શકે ? કોઈ જ નહીં ! બ્રહ્મ તો સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ છે, એટલે એનાં વિશેનાં જ્ઞાન-ધ્યાનની બાબતમાં, જેમ જ્ઞાતા-શેય, ધ્યાતા-ધ્યેય જેવા કોઈ ભેદો હોય જ નહીં, તે જ રીતે, એનાં દર્શનની બાબતમાં પણ દ્રષ્ટા-દૃશ્ય જેવા ભેદો પણ કદી સંભવે જ નહીં !
અને આ પહેલાંના શ્લોકની જેમ જ, ભેદની અસંભવિતતા (Impossibility) દર્શાવવા માટે, બ્રહ્મ માટેનાં ‘નિર્વિકાર’, ‘નિરાકાર’ અને ‘નિર્વિશેષ’, - એ ત્રણેય વિશેષણોને અહીં પુનરુક્ત કરવામાં આવ્યાં છે.
બ્રહ્મ-‘જ્ઞાન’ના અનુસંધાનમાં, વેદાંત-દર્શનમાં, આવા ભેદો માટે, આ પ્રકારના પારિભાષિક શબ્દો પ્રચલિત છે : પ્રમાતા-પ્રમિતિ(અથવા પ્રમાણ)-પ્રમેય. પરંતુ આવા સર્વ ભેદોનાં મૂળમાં તો અવિદ્યા અને અજ્ઞાન જ છે. હકીકતમાં, જ્યાં સર્વ કાંઈ આત્મ-મય જ હોય ત્યાં, પેલાં શ્રુતિવચન પ્રમાણે, કોણ, કોને, શાના વડે જુએ ? - यत्र तु अस्य सर्वं आत्मत्वं एव अभूत्, तत् केन कं पश्येत् ? । શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૦૧)
૪૦૨
कल्पार्णव इवात्यन्तपरिपूर्णैकवस्तुनि । निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः ॥ ४०२ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
કલ્પાર્ણવ ઈવાત્યન્તપરિપૂર્ણકવસ્તુનિ । નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે ભિદા કુતઃ ॥૪૦૨ી
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
અહીં પણ, જેને દંડાન્વય' કહેવામાં આવે છે તેવો, શ્લોક-પ્રમાણે જ, ૭૮૨ / વિવેકચૂડામણિ