________________
મન એટલે મળ, ગંદકી, વોશ એટલે દેહ, શરીર; મળથી ભરેલા આ શરીર પ્રત્યેની આશા.
(૨) આવી જ બીજી કઈ આશા છોડવાની છે? - Tલાદે લિંગદેહમાં, સૂક્ષ્મશરીરમાં. પણ કેવો છે આ લિંગદેહ ? – નિનવાજે / વાયુ જેવો (ચંચળ, અસ્થિર); ક્યારે ? – પશ્ચાત્ પાછળથી; અને કેવી રીતે ? પ્રમ્ I – બળપૂર્વક.
(૩) ત્યારપછી શું કરવાનું છે? - બ્રહોન તિષ્ઠ | - બ્રહ્મભાવે રહે, બ્રહ્મરૂપે સ્થિર થા. શું કર્યા પછી ? - (બ્રહ, માત્મા) સ્વયં તિ પરિવીય | પરિવીય (પર + વ -- એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) (બ્રહ્મનો, આત્માનો) પરિચય કરીને, ઓળખીને, સમજીને - શું તરીકે ? - હું પોતે જ તે બ્રહ્મ છું, એમ. એ બ્રહ્મ કેવું છે? - (અ) નિત્યમ્ - નિત્ય; (બ) નિમતિ-ન્નતિ | નિમ એટલે વેદ; હિત એટલે કહે છે, બોલે છે, ઉચ્ચારે છે; જેની કીર્તિને વેદો ગાય છે, વેદો જેનાં ગુણગાન ગાય છે; વેદો જેને વખાણે છે તેવું; (ક) માનમૂર્તિમ્ ! - આનંદસ્વરૂપ. (૩૯૬) અનુવાદ :
(હે વત્સ !) મળથી ભરેલા આ શરીર પ્રત્યે તું અહંકારબુદ્ધિથી પેદા થયેલી આશાને છોડી દે. ત્યારપછી, વાયુ જેવા લિંગદેહ પ્રત્યે પણ બળપૂર્વક (આશાને ત્યજી દે) અને અંતે) વેદો જેની કીર્તિ ગાય છે એવાં નિત્ય અને આનંદસ્વરૂપ આત્માને, “હું પોતે જ તે છું એમ સમજીને, બ્રહ્મભાવથી તું રહે. (૩૯૬) ટિપ્પણ:
સ્થૂલ અને સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલી સર્વ આશાઓ ત્યજીને, સ્વયં વેદોએ જેની કીર્તિની પ્રશંસા કરી છે એવા, નિત્ય અને આનંદસ્વરૂપ એવા આત્માનો સમ્યક પરિચય મેળવીને, ત્યાં જ બ્રહ્મભાવે સ્થિર થઈને રહેવાનો અનુરોધ, આચાર્યશ્રીએ, અહીં શિષ્યને કર્યો છે.
પરંતુ આ પરાકાષ્ઠાએ પહોંચતાં પહેલાં, પેલી વિનદોડ(Hurdle-Race)ની જેમ, સાધકે, પોતાની આ સિદ્ધિયાત્રામાં વચ્ચે નડતાં વિઘ્નોને ઓળંગીને પાર કરવાનાં રહે છે : એમાં સૌથી પહેલું તો, સ્થૂલ શરીરને અનુલક્ષીને, અહંકાર-બુદ્ધિએ ઉત્પન્ન કરેલી સર્વ આશાઓ-ઈચ્છાઓ-અપેક્ષાઓ-તૃષ્ણાઓનો ત્યાગ કરવાનો રહે છે (દિ). ત્યાગના, આચાર્યશ્રીના, અનુરોધને સંપન્ન કરવા સાધક પ્રેરાય તે માટે, અન્નમયકોશ સાથે સંકળાયેલા સ્કૂલ શરીર માટે હેતુગર્ભ-વિશેષણ (મનમયકોશ) મૂકવામાં આવ્યું છે. આ પહેલાં પણ સ્કૂલ શરીર માટે, આચાર્યશ્રી દ્વારા, આવું વિશેષણ (મનમાઇન્કમ)
૭૭૦ | વિવેકચૂડામણિ