________________
શ્લોકનો ગદ્ય અન્વય :
कश्मलं दुःखकारणं अनात्मचिन्तनं त्यक्त्वा, आनन्दरूपं आत्मानं चिन्तय, यत् मुक्तिकारणं (भवति) ॥३८०॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : માનન્દ માત્માને વિન્તય | - આનંદસ્વરૂપ આત્માનું ચિંતન કર. “આત્મા’ કેવો છે? - વત્ મુIિRામ્ ! – જે મુક્તિનું કારણ બની શકે છે (મતિ), પરંતુ તે પહેલાં, સાધકે શું કરવાનું રહે છે ? - નાત્મવિન્તન ત્યર્વી | - “અનાત્માનું એટલે કે જગત, દેહ વગેરે, જે “આત્મા નથી, તે બધાંનું ચિંતન છોડીને; આ અનાત્માનું ચિંતન છોડવાની સૂચના શા કારણે ? બે કારણે : એક તો એ કે તે કશ્મનં એટલે કે પાપરૂપ છે અને બીજું એ કે તે દુઃખનાં કારણરૂપ (કુવારા) છે. (૩૮૦) અનુવાદ :
પાપરૂપ અને દુઃખનાં કારણરૂપ એવા “અનાત્માનું ચિંતન ત્યજીને, આનંદસ્વરૂપ એવા “આત્મા'નું તું ચિંતન કર, જે, મુક્તિનું કારણ બની શકે છે. (૩૮૦) ટિપ્પણ:
શ્લોક સાવ સહેલો છે અને અર્થ પણ અઘરો નથી. આ પહેલાં પણ, મોક્ષનું કારણ બની શકે છે એવા આત્માનાં સ્વરૂપ વિશે અને મોક્ષપ્રાપ્તિમાં જે વિનરૂપ બને છે અને મનુષ્યને સંસારના બંધનમાં જે સતત જકડી રાખે છે તે - જંગત, દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન, વાસના, વિષયો, અહંકાર વગેરે જેવાં, - “અનાત્માનાં
સ્વરૂપ વિશે પણ, આ પહેલાં, સવિસ્તર ચર્ચા કરવામાં આવી જ છે, એટલે આ વિશે કશા વિસ્તારની જરૂર નથી.
માત્ર બે જ વાત પ્રસ્તુત છે : એક તો એ કે, શ્લોકમાં બે વાર પ્રયોજાયેલો “ચિંતન” શબ્દ, જેની ચર્ચા આચાર્યશ્રીએ હવે હાથ ધરી છે તે ધ્યાન”નાં મહત્ત્વ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે; અને બીજું એ કે “અનાત્મા’નું ચિંતન શા માટે છોડી દેવું અને “આત્મા'નું ચિંતન શા માટે કરવું, - એનાં કારણો તરીકે તે બંનેનાં જે વિશેષણો અપાયાં છે, અનુક્રમે, - ૩ઃ૩ર અને મુ#િRM, - તે બંને, સંપૂર્ણરીતે સૂચક (Significant) છે; અને “આત્મા’ તો, પરમાત્મ-સ્વરૂપ એવાં “સચિદ્આનંદ”નો જ એક અંશ, - એટલે કે “આનંદ' છે, એ કાંઈ જેવુંતેવું કે નાનું-સૂનું કારણ છે ! (૩૮)
૭૩ર | વિવેકચૂડામણિ