________________
ઊંડો હોય.
અને અહીં જે “સમાધિનો ઉલ્લેખ છે તે પણ, કોઈ સામાન્ય કે સવિકલ્પકક્ષાની નથી. આ પહેલાં જેનાં સ્વરૂપનું સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું છે કે, ઉત્તમ અને આત્યંતિક એવી નિર્વિકલ્પ સમાધિની જ વાત છે, જ્યાં સર્વ પ્રકારનાં વિકલ્પોવિચારો-વિક્ષેપો-ભેદો-તો સંપૂર્ણરીતે શમી ગયાં હોય.
આવા સમાધિસ્થ સાધકને જે “જ્ઞાન” પ્રાપ્ત થાય તે પણ, કંઈ સામાન્ય કક્ષાનું તો હોય જ નહીં ! એ જ્ઞાન પણ દઢ તો હોય જ, પરંતુ એથીયે આગળ વધીને તે જ્ઞાન અપરોક્ષ, એટલે કે પ્રત્યક્ષ હોય, જેનાથી સાધકે પૂરેપૂરો પ્રબુદ્ધ(Enlightened) બનીને આત્મતત્ત્વને આત્મસાત કરવાનું સામર્થ્ય મેળવે; એટલું જ નહીં, પરંતુ તેને સંસારનાં બંધનોમાંથી છુટકારો અપાવી શકે.
અને જે, આ રીતે, સંસાર-બંધનમાંથી મુક્ત થયો હોય, તેને પછી, સંસારનાં કોઈ શોક-મોહ-વિષાદ કે દુઃખોનો તો સંપર્ક જ હોય નહીં તે તો પછી, સદા-સર્વદા અવિરત એવા શાશ્વત સુખના અનુભવનો જ અધિકારી બની રહે !
અને આ સુખ સંપૂર્ણતઃ નિરપેક્ષ હોવાથી, “નિજાનંદ' કક્ષાનું જ બની રહે છે, જ્યાં, મુક્તાત્મા, પેલાં સુપ્રસિદ્ધ સ્તોત્રમાં સમુચિત અને સુનિશ્ચિત રીતે સૂચવાયું છે તેમ, પરબ્રહ્મના આનંદમાં સતત અને સોલ્લાસ વિહરી જ રહ્યો હોય ! - નન્દતિ नन्दति नन्दत्येव ।
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૭૬)
૩૦૦
वैराग्यान परं सुखस्य जनकं पश्यामि वश्यात्मन
-स्तच्चेच्छुद्धतरात्मबोधसहितं स्वाराज्यसाम्राज्यधुक् । एतद्द्वारमजस्त्रमुक्तियुवतेर्यस्मात्त्वमस्मात् परं
सर्वत्रास्पृहया सदात्मनि सदा प्रज्ञां कुरु श्रेयसे ॥३७७॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ વૈરાગ્યાન પર સુખસ્ય જનક પશ્યામિ વશ્યાત્મન
-સ્વચ્ચેઠુદ્ધતરાત્મબોધસહિત સ્વારાજ્યસામ્રાજ્યધુકા એતદ્દ્ધારમજગ્નમુક્તિયુવતર્યસ્માત્ત્વમસ્માતુ પર
સર્વત્રાસ્પૃહયા સદાત્મનિ સદા પ્રજ્ઞા કુરુ શ્રેયસે li૩૭૭
૭૨૨ | વિવેકચૂડામણિ