________________
બીજી એક વાત પણ સમજી લેવાની રહે છે : વૈરાગ્ય વિનાનું જ્ઞાન પાંગળું છે. કશા પણ કાર્ય માટે અશક્ત છે અને વિવેકબુદ્ધિજન્ય બોધ એકલો વૈરાગ્ય વગર, આંધળા જેવો છે, એને કશું સૂઝી શકે નહીં : હકીકતમાં, તે બંને વચ્ચે, “અંધાંગુન્યાયસૂચિત, સંબંધ છે : અંધ એવા વૈરાગ્યના ખભે બેસીને જ, પંગુ એવું જ્ઞાન, મોક્ષ એવાં પોતાનાં ધ્યેયસ્થાને પહોંચી શકે ! સાધક ગમે તેવો બહુશ્રુત પંડિત હોય, પરંતુ તેનું આ પાંડિત્ય, સાચી અને સંનિષ્ઠ વૈરાગ્યવૃત્તિ પર આધારિત ન હોય તો, તે બંને એકલાં કશી જ સિદ્ધિ મેળવી ન શકે.
આ જ છે મર્મ છે, નાચતા - એ શબ્દનો !
વ્યાકરણશાસ્ત્રમાં, આથી જ, નપુંસકલિંગ(Neuter Gender)ને “નાન્યતર(ન અન્યતર, ન પુરુષ, ન સ્ત્રી) કહેવામાં આવે છે : માનવસમાજમાં આવા “નપુંસક”(Eunuch)નું શું-કેવું સ્થાન ?
ઉત્તર : ન ઉચિત, ન આવશ્યક !
બસ, એવું સ્થાન, વૈરાગ્ય અને બોધ એ બંનેનું, - જો તે બંને, એકબીજા વિનાનાં, એકલાં જ, હોય તો !
શ્લોકનો છંદ ઉપજાતિ (૩૭૫)
૩૦૬
अत्यन्तवैराग्यवतः समाधिः
समाहितस्यैव दृढप्रबोधः । प्रबुद्धतत्त्वस्य हि बन्धमुक्ति
-મુiાત્મનો નિત્યસુચ્છાપૂતિઃ રૂછદ્દા શ્લોકનો ગુજરાતી પાઠ:
અત્યન્તવૈરાગ્યવતઃ સમાધિ
સમાહિતચૈવ દઢપ્રબોધઃ | પ્રબુદ્ધતત્ત્વસ્ય હિ બન્ધમુક્તિ
-મુક્તાત્મનો નિત્યસુખાનુભૂતિઃ ૩૭૬ll. શ્લોકનો ગદ્ય અન્વયઃ
અહીં શ્લોક પ્રમાણે જ, જેને “દંડાન્વય” કહેવામાં આવે છે, તે પ્રમાણે ગદ્ય અન્વય છે. (૩૭૬).
૭૨૦ | વિવેકચૂડામણિ