________________
મુનિને સંપૂર્ણ ઉપરતિનું સુખ જણાય છે, દેખાય છે; એને બીજું શું દેખાય છે? માનન્દ-ર–અનુભવ-વિજ્ઞવ: () સં તે | વિત્તવ એટલે ભરતી, ઉછાળો, વૃદ્ધિ; બ્રહ્માનંદ-રસના અનુભવમાં ભરતી થતી હોય એવું જણાય છે. આ બંને પરિણામો શાના લીધે તેને મળેલાં જણાય છે? તદ્-નિવૃજ્યા સભ્ય . તત્ એટલે તે; આ પહેલાંના શ્લોકમાં જેનો નિર્દેશ થયો છે, તે ઉપાધિઓ; નિવૃત્તિ એટલે નિવારણ, નાબૂદી, નાશ; સ એટલે સારી રીતે, સંપૂર્ણપણે. તે સર્વ ઉપાધિઓ સંપૂર્ણરીતે નિવૃત્ત થઈ જવાથી, પેલાં બે પરિણામોનો લાભ થતો હોય, એમ મુનિને દેખાય છે. (સંદૃશ્યત) (૩૭૨). અનુવાદ:
તે (સર્વ ઉપાધિઓ) સંપૂર્ણરીતે નિવૃત્ત થઈ જવાથી, મુનિને, સર્વશઃ ઉપરતિનું સુખ અને બ્રહ્માનન્દ-રસના અનુભવમાં સદા ભરતી થતી હોય, એમ દેખાય છે. (૩૭૨) ટિપ્પણ:
મોક્ષાર્થી સાધકને, તેની મોક્ષપ્રાપ્તિ-કારકિર્દીમાં યોગ-પ્રક્રિયાનું જ્ઞાન ઉપકારક બની રહે, એ શુભ-ઉદ્દેશને લક્ષમાં રાખીને, આચાર્યશ્રીએ, છેલ્લા થોડા શ્લોકોમાં, આ પ્રક્રિયાની થોડી સમજણ સાધકને આપી હતી, તેનું સમાપન કરતાં, તેઓશ્રી, ઉપાધિઓ સાથેનાં, યોગીની ચિત્તવૃત્તિનાં જોડાણનાં અનિષ્ટ પરિણામનો સંદર્ભ આપીને, ઉપર્યુક્ત સર્વ ઉપાધિઓની સમ્યફ નિવૃત્તિ પર અહીં ભાર મૂકે છે અને તેના બે સારાં પરિણામો તરફ મુનિનું ધ્યાન ખેંચે છે. '
દેહ-ઈન્દ્રિયો વગેરે “અનાત્મા'-તત્ત્વોની ઉપાધિઓ સાથેના યોગનું સંપૂર્ણ નિવારણ મુનિને બે રીતે ઉપયોગી, ઉપકારક અને લાભપ્રદ બને છે. એક તો, તેના માટે એક સદ્ધર જમાપાસા (Asset) જેવી ઉપરતિનો તેને પૂરો લાભ મળે છે; અને બીજું, પેલું અનર્થરૂપ-(Evil)-રૂપ “જોડાણ' (યોગ) સંપૂર્ણરીતે નાબૂદ થઈ ગયું હોવાથી, હવે, એનું સાચું અને સર્વોચ્ચ “જોડાણ' (યોગ) બ્રહ્મ સાથે થઈ જાય છે અને સાધક માટે તો આ “યોગ” જ એનાં જીવનધ્યેયને પરિપૂર્ણ કરવામાં એકમાત્ર સાધનરૂપ બની રહે છે : બ્રહ્મ સાથેના યોગથી, આ તાદાભ્યથી, તેને, બ્રહ્માનંદરસના અનુભવમાં જાણે કોઈ બહુ મોટો ઉછાળો આવ્યો હોય, એવું દર્શન થાય છે (સંસ્થત).
બ્રહ્મ તો પૂર્ણપણે નિરુપાધિક છે, એટલે એનાં સાયુજ્યથી સાંપડતા, તો વૈ સ: I – એવા આનંદ-રસનો અનુભવ કરવો હોય તો, પેલી “ઉપાધિઓનાં અનિષ્ટથી,
- વિવેચૂડામણિ | ૭૧૩