________________
નથી; ઉછીનું અને પર-પ્રકાશિત છે; આવાં જ્ઞાન-જ્ઞાતા-જોયની ત્રિપુટી(જે બુદ્ધિનાં કાર્ય છે તે)ની નિત્યતા કેટલી? તેનું ટકાઉપણું કેટલું? .
બુદ્ધિનાં પરિણામ-સ્વરૂપ આ જગત-પ્રપંચની અનિત્યતા અને ક્ષણિકતા સમજાવવા માટે આચાર્યશ્રીએ, શ્લોકમાં, બે હકીકતો નિરૂપી છે તે, યાદ રાખવા જેવી છે : (૧) લોઢું અગ્નિના સંયોગને કારણે ગરમ અને લાલચોળ બની જાય છે, એનામાં ગરમી અને પ્રકાશ બંને આવે છે, પરંતુ આ બંને ધર્મો તેના પોતાના નથી, બીજાના (એટલે કે તે જેના સંયોગમાં આવ્યું છે, તે અગ્નિના) છે અને તે બંને, - ગરમી અને પ્રકાશ, - થોડો સમય જ રહે છે : અગ્નિ સાથેનો તેનો સંયોગ લુપ્ત થયા પછી, તે ઠરી જતાં, તેનામાં ગરમી કે પ્રકાશ, બેમાંથી એકેય રહેતાં નથી, કારણ કે તે તો અગ્નિને જ આભારી હતું. (૨) જડ, અનિત્ય અને અસત્ય એવી બુદ્ધિનું જે કંઈ પરિણામ, એટલે કે આ જગત વગેરે છે, તે મિથ્યા (મૃષા) છે, એની પ્રતીતિ એ હકીકતમાંથી સાંપડે છે કે ભ્રમણા, સ્વપ્ન, મનોરથો, કલ્પનાઓ વગેરે જેવાં બુદ્ધિ-કાર્યોનું મિથ્યાપણું તે, સહુના અનુભવની હકીકત છે આ બધાં કેટલાં સાચાં ? કેટલા ટકાઉ ?
આમ, જગત વગેરે મિથ્યા છે અને એનાં અધિષ્ઠાન-રૂપ બ્રહ્મ, તે એક જ સત્ય છે, તે ફલિત થાય છે.
શ્લોકનો છંદ : ઈન્દ્રવજા (૩૫૦)
૩પ૧ • ततो विकाराः प्रकृतेरहंमुखा
રેહાવસાના વિષયાશ સર્વે क्षणेऽन्यथाभावितया . ह्यमीषा
-मसत्त्वमात्मा तु कदापि नान्यथा ॥३५१॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
તતો વિકારાઃ પ્રકૃતેરહંમુખા
દેહાવસાના વિષયા સર્વે | ક્ષણેકન્યથાભાવિતયા 0મીષા
-મસત્ત્વમાત્મા તુ કદાપિ નાન્યથા li૩૫૧ શ્લોકનો ગદ્ય અન્વય : ततः अहंमुखाः देहावसानाः च सर्वे विषयाः प्रकृतेः विकाराः (सन्ति);
વિવેકચૂડામણિ | ૨૬૩