________________
એ શરતે, આવું બને ત્યારે. (૩૪૫)
અનુવાદ :
આવરણશક્તિનું સંપૂર્ણપણે નિવારણ ન થયું હોય ત્યાં સુધી, વિક્ષેપશક્તિ પર વિજય મેળવવો મુશ્કેલ છે; પરંતુ દૂધ અને જળની જેમ, દૃષ્ટા અને દૃશ્યનો સ્પષ્ટ વિવેક થતાં, અંતઃકરણ પરનું તે આવરણ સ્વાભાવિક રીતે જ નાશ પામે છે અને મિથ્યા પદાર્થોમાં વિક્ષેપને પ્રવૃત્ત જ ન થવા દેવામાં આવે તો, આત્મા, કશા પણ સંશય વિના, પ્રતિબંધ-રહિત બની જાય છે. (૩૪૫)
ટિપ્પણ :
તમોગુણની આવરણશક્તિ (Power of Veiling, Concealing) અને રજોગુણની વિક્ષેપશક્તિ (Power of Projecting, Distracting), - આ બેમાંથી, આવરણશક્તિના આધાર વિના અને એના તરફથી મળતા બળના ટેકા વિના, વિક્ષેપશક્તિ, સાધકને ખાસ કશી હાનિ પહોંચાડી શકે નહીં, એ વાત આ પહેલાંના શ્લોક(૩૪૪)માં કહેવામાં આવી હતી; તેનો જ વિસ્તાર કરતાં, તેમાંથી જ ફલિત થતો બીજો મુદ્દો, અહીં, એ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી આવરણશક્તિને સંપૂર્ણરીતે દૂર કરવામાં ન આવે ત્યાં સુધી, વિક્ષેપશક્તિનું નિયંત્રણ કે નિવારણ શક્ય નથી. આ મુદ્દામાંથી જ એક ત્રીજો મુદ્દો, આપોઆપ, એ નિષ્પન્ન થાય છે કે આવરણને જ નષ્ટ કરવું, જેથી વિક્ષેપ માટે કશો અવકાશ જ ન રહે. પરંતુ આ આવરણનો નાશ કરવો શી રીતે ? એનો ઉપાય શો ? આ બાબત, અલબત્ત, છે તાત્ત્વિક અને તેથી થોડી અઘરી, પણ સાચા સાધક માટે આ સમસ્યાનું નિવારણ અશક્ય નથી : મુમુક્ષુ તરીકે જો તે સતત સજાગ રહીને ‘આત્મા’ અને ‘અનાત્મા'નો ‘વિવેક’, પોતાનાં અંતઃકરણની અંદર, સ્પષ્ટ રીતે જાળવી શકે તો, પેલું આવરણ તો અવિદ્યાને કારણે જ સર્જાતું હોય છે અને જ્યાં ઉપર્યુક્ત ‘વિવેક’ સંપૂર્ણરીતે સુરક્ષિત હોય, ત્યાં પેલું આવરણ તો, એની મેળે, અનાયાસે જ, નાશ પામી જાય !
‘આત્મા’ તરીકે, પોતે તો ‘ધ્રુષ્ટા’ (જોવાની ક્રિયાનો કર્તા - Subject, 'Seer') છે, જ્યારે ‘અનાત્મા’ એવું આ જગત, દેહાદિ વગેરે સઘળું તો દૈશ્ય' જ (જોવાની ક્રિયાનું કર્મ (Object, 'Seen') છે, બંને પરસ્પર-ભિન્ન છે, અન્યોન્ય-વિરોધી ધર્મોવાળાં છે; આમ, આ બંનેનું ઐક્ય કદાપિ સંભવી શકે જ નહીં. આ બંનેને ‘એક’ માન્યાં, એ જ અજ્ઞાન અને અવિઘા, અને તેથી જ પેલાં આવરણને મોકો મળી ગયો, સાધકના આત્માને પોતાની શક્તિ વડે ‘આવૃત’ કરી દેવાનો, ઢાંકી દેવાનો, એની વિવેકબુદ્ધિને ભ્રાંત કરી દેવાનો !
વિવેચૂડામણિ | ૬૫૧