________________
ટિપ્પણ :
સંસારનાં બંધનોમાંથી વિમુક્તિ મેળવવા માટે, સાધક સમક્ષ, ‘સર્વાત્મભાવ’ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે, એવું પ્રસ્થાપિત કર્યા પછી, ગયા-છેલ્લા શ્લોકમાં, ગ્રંથકારે, આવા ‘સર્વાત્મભાવ’ની પ્રાપ્તિ માટે, સદા આત્મનિષ્ઠાપૂર્વક આ ‘દશ્ય’(જગત)નાં ‘અ-ગ્રહણ’ની, એટલે કે તેના ત્યાગની શરત મૂકી હતી.
પરંતુ ‘સર્વાત્મભાવ’-પ્રાપ્તિ માટે જો ‘દશ્ય-અગ્રહણ' અનિવાર્ય હોય તો, સાધકે, આ ‘દશ્ય-અગ્રહણ' કેવી રીતે સંપન્ન કરવું ? - એની ચર્ચા-વિચારણા આ શ્લોકમાં કરવામાં આવી છે.
આ જગત માત્ર ‘દશ્ય’-સ્વરૂપે જ છે, એનું અસ્તિત્વ ફક્ત ‘પ્રાતિભાસિક’ છે, એટલે કે તે અનિત્ય છે, તે મિથ્યા છે (નાત્ મિથ્યા ।); આવા ‘દશ્ય’-પ્રપંચના ‘ગ્રાહ’માંથી, એનાં ‘ગ્રહણ’માંથી છૂટવાની અનિવાર્ય આવશ્યકતાની વાત છે; પરંતુ આવાં ‘દૃશ્ય’ના જ એક ભાગ જેવા ‘દેહ'ને જ સાધક જ્યાં સુધી ‘હું' માને, એને જ ‘આત્મા’ સમજીને (વેહાત્મના તિતઃ) પોતાનાં જીવનની સર્વ પ્રવૃત્તિઓ કર્યા કરે (તત્ સત્ યિાં નુવંત:), ત્યાં સુધી, તે, પેલા ‘ગ્રહણ'માંથી કેવી રીતે છૂટી શકે ? એનું મન જ્યાં સુધી બહારના વિષયોના અનુભવમાં જ આસક્ત હોય, એમાં જ રાચ્યા કરતું હોય (બ્રાહ્માર્થાનુભવપ્રસòમનસ:) ત્યાં સુધી, પેલા ‘દશ્ય’-પ્રપંચમાંથી એની મુક્તિ સંભવે જ શી રીતે (દૃશ્યસ્ય અગ્રહળ થ નુ ષà) ? ટૂંકમાં, ઉપર્યુક્ત ત્રણ બાબતોમાં તે સંપૂર્ણરીતે સંપન્ન બની રહે, એ તો ‘દશ્ય-અગ્રહણ' માટેની પાયાની (Fundamental) પૂર્વ-શરતો (Pre-conditions) છે. પરંતુ આટલી સંપન્નતા પણ તેની ધ્યેયસિદ્ધિ માટે પર્યાપ્ત નથી : આટલું તો, તે જેમાં વ્યસ્ત અને વ્યાવૃત છે, તેમાંથી પોતાની જાતને પાછી ખેંચી લેવા (withdraw કરવા) પૂરતું જ છે, એટલે કે નકારાત્મક છે, નિષેધાત્મક (Negative) છે. એટલું, અવશ્ય, કહી શકાય કે આવી રીતે આટલી સિદ્ધિ, પેલી અંતિમ અને આત્યંતિક સંસિદ્ધિ માટે, એક પ્રકારની પૂર્વભૂમિકા (Back-ground) રચી આપી શકે.
અને આવી અંતિમ સંસિદ્ધિ માટે તેણે કશુંક વિધેયાત્મક (Positive) કરવાનું રહે છે અને તે આ પ્રમાણે છે : પહેલી વાત તો એ કે મનુષ્યજીવનના ચાર પુરુષાર્થોમાંથી પ્રથમ ત્રણ - એટલે કે ધર્મ, અર્થ અને કામ - સાથે સંકળાયેલા સર્વ વિષયોનો તેણે ત્યાગ કરવો જોઈએ (સંન્યસ્તાવિતધર્મમંવિષયૈ:). દેખીતી રીતે, ભલે આવો ત્યાગ (સંન્યાસ) નકારાત્મક જણાતો હોય, પરંતુ એની ‘દુષ્કરતા’ લક્ષમાં રાખતાં, એ એક વિધેયાત્મક-વિધાયક સિદ્ધિરૂપ જ ગણાય; બીજી અપેક્ષા તેના પાસેથી એ રાખવામાં આવે છે કે આત્મા નિત્યસ્વરૂપ છે, તેથી તેમાં જ તેણે સદા ૬૪૦ / વિવેચૂડામણિ