________________
કેવી રીતે, કેમ કરીને, શક્ય બને ? (થે 3 પતે ?) – શબ્દ આશંકા વ્યક્ત કરે છે. આ મનુષ્ય કેવો છે? તેનાં ત્રણ વિશેષણો આ પ્રમાણે છે : (અ) રેહાત્મના તિષ્ઠત: I દેહને જ આત્મા સમજીને ક્રિયાઓ કરનાર, દેહાત્મભાવે રહેનાર; (બ) વાહ-અર્થ-અનુભવ-પ્રલ-મનસ: | - બાહ્ય પદાર્થોના અનુભવમાં આસક્ત મનવાળો, બહારના વિષયોના અનુભવમાં જ રાચતો, એમાં જ મગ્ન એવાં મનવાળો; (ક) તત્ તત્ જિયાં પુર્વતઃ I અને ઉપર્યુક્ત તેની આસક્તિ પ્રમાણે, તે-તે ક્રિયાઓ, એટલે કે અનેક વિવિધ ક્રિયાઓ-કર્મો-પ્રવૃત્તિઓ કરનાર; જે મનુષ્ય આવો હોય, તેના માટે, આ દશ્ય જગત-પ્રપંચનું અ-ગ્રહણ, એટલે કે તેનો ત્યાગ, કેવી રીતે સંભવે ? કહેવાનું તાત્પર્ય એ છે કે તે સંભવિત ન જ બને.
(૨) પરિસ્થિતિ જો આવી જ હોય તો, (માતા) શું કરવું? - એ સવાલનો જવાબ આ વાક્યમાં આપવામાં આવ્યો છે : તેરૈદ યત્નતિ માત્મનિ -અપ વરણીયમ્ | તત્ત્વજ્ઞા: એટલે આત્મતત્ત્વને જાણનારાઓ, તત્ત્વજ્ઞાનીઓ; તેમણે શું કરવું જોઈએ? વિષયોનું અ-ગ્રહણ તો અવશ્ય કરવું, પરંતુ આત્મામાં (આત્મનિ) અને તે પણ, આમ કરવું સહેલું ન હોવાથી, યત્નપૂર્વક (યતિ:) કરવું જોઈએ. આત્મામાં જ વિષયોનું અ-ગ્રહણ કરવું, - એનો મર્મ એટલો જ કે વિષયોને વિષયો તરીકે નહીં, પરંતુ આત્મા-સ્વરૂપે જ જોવા. આ તત્ત્વજ્ઞાનીઓ કેવા હોવા જોઈએ ? ત્રણ વિશેષણો આ પ્રમાણે છે : (અ) સંન્યસ્ત-સવિન-ધર્મવિષ: I તેમણે સમગ્ર, ધર્મ અને કર્મને લગતા વિષયોનો સંન્યાસત્યાગ) કરવો જોઈએ. (બ) નિત્ય-સાત્મનિષ્ઠાપરે ! નિષ્ઠા-પર એટલે નિષ્ઠામાં તત્પર, આત્મામાં જ નિષ્ઠાવાળા બનીને; નિત્ય એટલે સદા-સર્વદા અથવા નિત્યસ્વરૂપ એવા આત્મામાં જ નિષ્ઠાવાન બનીને; (ક) સતા-ગાનન્દ-છુપર | હંમેશાં, આનંદના ઇચ્છુક બનીને, એટલે કે નિત્ય આનંદને ઇચ્છતા, - એવા બનીને, ઇચ્છીને. (૩૪૧) અનુવાદ :
જે મનુષ્ય દેહાત્મભાવે રહેનારો હોય, બહારના વિષયોમાં જ આસક્ત મનવાળો હોય અને અનેક વિવિધ ક્રિયાઓ કરતો હોય, તેના માટે દશ્યજગત)નું અ-ગ્રહણ કેવી રીતે શક્ય બને ? આથી, સર્વ ધર્મ અને કર્મ અંગેના વિષયોનો ત્યાગ કરીને અને નિત્ય-સ્વરૂપ એવા આત્મામાં જ સદા નિષ્ઠાવાન બનીને, સદા આનંદના ઇચ્છુક એવા તત્ત્વજ્ઞાનીઓએ, યત્નપૂર્વક આત્મામાં જ વિષયોનું અ-ગ્રહણ કરવું જોઈએ. (૩૪૧)
વિવેકચૂડામણિ | ૬૩૯