________________
આત્મદર્શનનો ભાવ, સિદ્ધ કરી શક્યો હોય. સાચા અને અધ્યાત્મશાસ્ત્રોક્ત અર્થમાં, પૂર્ણપણે (સર્વાત્મા ), સંસારનાં બંધનમાંથી મુક્તિ મેળવવા માટે, આ પ્રકારનો સર્વાત્મભાવ જ એકમાત્ર શ્રેષ્ઠ અને સર્વોત્તમ ઉપાય છે, એ સિવાય અન્ય કશું જ નિમિત્ત નથી (પર શત્ વલ્પવિરુદેતુઃ અસ્તિ )
ગીતામાં, ભગવાન શ્રીકૃષ્ણ, આવી સિદ્ધિ માટે “આત્મૌપમ્ય-શબ્દ પ્રયોજીને, આવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર મનુષ્યની, તેને “ઉત્તમ યોગી” કહીને, આ રીતે પ્રશંસા ફરી છે :
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । સુઉં વા યહિ વ યુદ્ધ સ યોની પરનો પ્રતિક છે. ૬, ૩ર II [[“હે અર્જુન ! સુખ હોય કે દુઃખ હોય, તો પણ આત્મીપમ્ય પોતાના જ જેવા બીજા, એવી) દૃષ્ટિથી સર્વત્ર સમત્વથી જે જુએ છે, તે યોગીને મેં ઉત્તમ માન્યો છે.”] કેવલ્ય-ઉપનિષદ પણ “સર્વાત્મભાવનું સમર્થન આ પ્રમાણે કરે છે :
सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि ।
संपश्यन् ब्रह्म परं याति नान्येन हेतुना ॥ (“સર્વભૂતોમાં પોતાનું અને પોતાનામાં સર્વભૂતોનું દર્શન કરનાર સાધક પરબ્રહ્મને પામે છે; આ સિવાય બીજો કશો ઉપાય નથી.”).
પરંતુ આવો “સર્વાત્મભાવ” સિદ્ધ કરવો કેવી રીતે? - આ સવાલનો જવાબ, , આ શ્લોકનાં છેલ્લાં બે ચરણોમાં, આ રીતે, આપવામાં આવ્યો છે : પહેલી વાત એ કે આ દશ્ય જગતમાંનું કશું જ ગ્રહણ ન કરવું (શ્ય-સતિ I), એનો ત્યાગ કરવો અથવા આ જગતને જગતરૂપે નહીં પરંતુ બ્રહ્મરૂપે જોવું; અને બીજું, આવું સંસાર-અ-ગ્રહણ” પણ સંપૂર્ણ બની રહે તે માટે, તેમાં સાતત્ય (સવા) હોવું જોઈએ, એટલું જ નહીં પણ આવું “અ-ગ્રહણ”, આવો દશ્ય-ત્યાગ', પૂરી આત્મનિષ્ઠાપૂર્વક (માત્મનિષ્ઠયા) થવો જોઈએ.
* અને આ દશ્યનું અ-ગ્રહણ” કરીને, જે, “હું બ્રહ્મ જ છું', - એવી પ્રતીતિ પામે છે, તે આ-સર્વ-મય બની જાય છે :
માઁ બહારિમ' યો વેર સર્વ પતિ વિમ્ . આમ, સાધકની સંસારબંધન-વિમુક્તિ, તેનાં સંસાર-નિવર્તન પર જ આધાર રાખે છે : યો યો નિવર્તિતિ, તતતતતો વિમુચ્યતે |
વિવેકચૂડામણિ | ૬૩૭