SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિસ્મૃતિ: વિદ્યાસં અપિ વિક્ષેપતિ। વિસ્મૃતિ: એટલે વિસ્મરણ, વીસરી જવું તે; અહીં, પોતાના આત્માની વિસ્મૃતિ; ગયા શ્લોકમાં સ્વસ્વરૂપત: પ્રમાાત્ કહ્યું હતું તે જ, આ આત્મવિસ્મૃતિ; એ શું કરે છે ? વિક્ષેપતિ (વિ + ક્ષિક્ એ ધાતુનાં પ્રેરકનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ); વિચલિત કરે છે, વિક્ષિપ્ત કરે છે, વિક્ષેપ સર્જે છે, ભમાવી-લોભાવી દે છે. કોને ભમાવે છે ? વિદ્યાસં અપિ । વિદ્વાનને, ભણેલાને, શાસ્ત્રોના પંડિતને પણ; આવું તે ક્યારે કરી શકે છે ? વિષયામિમુર્ત્ત તૃ′′ । તેને વિષયવાસનાઓ પ્રત્યે અભિમુખ, એટલે પ્રવૃત્ત થયેલો જોઈને, તેને આવો, આવું કરતો, જુએ છે ત્યારે. આવું તે (એટલે કે વિસ્મૃતિ) શાના વડે કરે છે ? ધી-રોયૈઃ । ધી એટલે બુદ્ધિ; બુદ્ધિના દોષો વડે. આ પ્રક્રિયાનું કોઈ ઉદાહરણ ખરું ? હા : યોષા પ્રિયં નાર્ વ । યોષા એટલે કુલટા, વ્યભિચારિણી, ચારિત્ર્યહીન સ્ત્રી. નારી એટલે પ્રિયતમ, પ્રેમી, પરપુરુષ. (૩૨૪) કે અનુવાદ : વ્યભિચારિણી સ્ત્રી, જેમ પોતાના પ્રિય પ્રેમીને (તેની બુદ્ધિના દોષોને લીધે, લોભાવીને) વિચલિત કરે છે તેમ, આત્મવિસ્મૃતિ વિદ્વાનને પણ, વિષયાભિમુખ થયેલો જોઈને, તેની બુદ્ધિના દોષો વડે, તેને વિક્ષિપ્ત કરી નાખે છે. (૩૨૪) ટિપ્પણ : પોતાનાં સ્વરૂપનું વિસ્મરણ એ જ પ્રમાદ, એવું પ્રતિપાદન ગયા, છેલ્લા શ્લોકમાં કરવામાં આવ્યું. આ શ્લોકમાંનો વિસ્મૃતિ-શબ્દ પણ એ જ અર્થમાં, એટલે કે ‘આત્માની વિસ્મૃતિ’ના અર્થમાં પ્રયોજાયો છે. જે મનુષ્ય, ઉપર કહ્યું છે તે પ્રમાણે, પોતાનાં સ્વરૂપને, પોતાના આત્માને વીસરી જાય છે તે, સૌપ્રથમ તો, ‘હું શરીર છું’ એવી બુદ્ધિ ધરાવતો થઈ જાય છે અને એક વાર એનું મન આવા ‘અનાત્મા’નાં સેવન તરફ ઢળી-વળી જાય છે, તેને વિષયો અચૂક ઘેરી વળે છે, વિષયો પ્રત્યે તેને આકર્ષણ થાય છે અને તે વિષયાભિમુખ બની જાય છે, વિષયોના ઉપભોગો પ્રત્યે પ્રવૃત્ત થઈ જાય છે. બસ, આ જ એની નિર્બળતાનો સમય છે, જેનો ગેરલાભ ઊઠાવીને, તેણે પોતે જ સર્જેલી, તેની પોતાની જ પેલી ‘આત્મવિસ્મૃતિ' તેના પર આક્રમણ કરે છે; પેલાં અનાત્મા-સેવન અને અહંકારને કારણે, એની બુદ્ધિમાં અનેક દોષો, એની આ ગાફેલિયતને લીધે, એને ખબર પણ ન પડે એ રીતે, પ્રવેશી જાય છે. વિષયોનો વિવેકચૂડામણિ / ૫૯૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy