SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ અકાળે અંત આવી જાય અને એ જ એના માટે તો મૃત્યુ ! બીજી એક હકીકત પણ, આ સંદર્ભમાં, સમજવા જેવી છે : જીવન સાથે સંકળાયેલું “મૃત્યુ' તો, એના નિયત થયેલા સમયે જ આવે, જ્યારે આ પ્રમાદ-રૂપી “મૃત્યુ' તો, પેલા મૃત્યુ પહેલાં જ આવી જાય ! અને, સાધક માટે, આના કરતાં મોટી કમનસીબી અને કરુણતા બીજી કઈ ? પેલું “મૃત્યુતો સ્વાભાવિક છે, જ્યારે આ “મૃત્યુ' તો, પોતાના ધ્યેયથી ચલિત અને શ્રુત થવાને કારણે, તિરસ્કારપાત્ર છે, નિત્ત્વ છે, ગહણીય (Condemnable) છે; એ તો નક્કી એક દોષ છે, શાપ છે, અપરાધ છે ! અને અહીં જેના સંદર્ભમાં આ વિધાન (‘પ્રમાદ જ મૃત્યુ છે) પ્રયોજાયું છે એ મોક્ષાર્થી સાધક જ નહીં, પરંતુ ભારતીય આધ્યાત્મિક પરંપરાને જ લક્ષમાં રાખીએ તો, જન્મ ધારણ કરનાર પ્રત્યેક મનુષ્ય માટે મોક્ષ, એટલે કે ઈશ્વરપ્રાપ્તિ, એનું એકમાત્ર, અનન્ય અને અંતિમ જીવન ધ્યેય છે અને એમાં એ આળસ કે ઉપેક્ષા કરે તો, ઈશ્વરના અમૂલ્ય ઉપહાર સમું એનું આ મનુષ્યજીવન એળે ગયું, એમ જ સમજવાનું રહે ! ભક્તકવિ નરસિંહ મહેતાએ, આ સનાતન સત્યનું, આવી સમુચિત વાણીમાં, સમર્થન કરતાં કહ્યું છે કે, - “ભણે નરસૈયો કે તત્ત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો ?” અને સૂરદાસ પણ આ જ વાત કહે છે, - “રે મન ! મૂરખ જનમ ગંવાયો : કરી અભિમાન, વિષયરસ રાચ્યો, - સ્યામ-સરન નહિં પાયો !” શ્લોકનો છંદ : અનુષુપ (૩રર) ૩૨૩ न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनः स्वस्वरूपतः । ततो मोहस्ततोऽहंधीस्ततो बन्धस्ततो व्यथा ॥३२३॥ શ્લોકનો ગુજરાતી પાઠ ઃ ન પ્રમાદાદર્થોડજ્યો શાનિનઃ સ્વસ્વરૂપતા તતો મોહસ્તતોડહંધીસ્તતો બન્ધસ્તતો વ્યથા ૩૨૩. ૫૯૨ | વિવેચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy