________________
અકાળે અંત આવી જાય અને એ જ એના માટે તો મૃત્યુ !
બીજી એક હકીકત પણ, આ સંદર્ભમાં, સમજવા જેવી છે : જીવન સાથે સંકળાયેલું “મૃત્યુ' તો, એના નિયત થયેલા સમયે જ આવે, જ્યારે આ પ્રમાદ-રૂપી “મૃત્યુ' તો, પેલા મૃત્યુ પહેલાં જ આવી જાય ! અને, સાધક માટે, આના કરતાં મોટી કમનસીબી અને કરુણતા બીજી કઈ ? પેલું “મૃત્યુતો સ્વાભાવિક છે, જ્યારે આ “મૃત્યુ' તો, પોતાના ધ્યેયથી ચલિત અને શ્રુત થવાને કારણે, તિરસ્કારપાત્ર છે, નિત્ત્વ છે, ગહણીય (Condemnable) છે; એ તો નક્કી એક દોષ છે, શાપ છે, અપરાધ છે !
અને અહીં જેના સંદર્ભમાં આ વિધાન (‘પ્રમાદ જ મૃત્યુ છે) પ્રયોજાયું છે એ મોક્ષાર્થી સાધક જ નહીં, પરંતુ ભારતીય આધ્યાત્મિક પરંપરાને જ લક્ષમાં રાખીએ તો, જન્મ ધારણ કરનાર પ્રત્યેક મનુષ્ય માટે મોક્ષ, એટલે કે ઈશ્વરપ્રાપ્તિ, એનું એકમાત્ર, અનન્ય અને અંતિમ જીવન ધ્યેય છે અને એમાં એ આળસ કે ઉપેક્ષા કરે તો, ઈશ્વરના અમૂલ્ય ઉપહાર સમું એનું આ મનુષ્યજીવન એળે ગયું, એમ જ સમજવાનું રહે ! ભક્તકવિ નરસિંહ મહેતાએ, આ સનાતન સત્યનું, આવી સમુચિત વાણીમાં, સમર્થન કરતાં કહ્યું છે કે, -
“ભણે નરસૈયો કે તત્ત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો ?” અને સૂરદાસ પણ આ જ વાત કહે છે, -
“રે મન ! મૂરખ જનમ ગંવાયો : કરી અભિમાન, વિષયરસ રાચ્યો, - સ્યામ-સરન નહિં પાયો !”
શ્લોકનો છંદ : અનુષુપ (૩રર)
૩૨૩
न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनः स्वस्वरूपतः ।
ततो मोहस्ततोऽहंधीस्ततो बन्धस्ततो व्यथा ॥३२३॥ શ્લોકનો ગુજરાતી પાઠ ઃ
ન પ્રમાદાદર્થોડજ્યો શાનિનઃ સ્વસ્વરૂપતા તતો મોહસ્તતોડહંધીસ્તતો બન્ધસ્તતો વ્યથા ૩૨૩.
૫૯૨ | વિવેચૂડામણિ