________________
(માત્મ)વિષ્ણુ અવસર ન વા, બાન માત્માને વિન્તય | ર૮૭ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : માનિ માત્માનં વિત્ત [r - આત્મામાં, એટલે કે હૃદયમાં અથવા અંતઃકરણમાં, આત્માનું ચિંતન કરતો રહે. આત્મચિંતનનું આવું સાતત્ય કેવી રીતે જાળવી રાખવાનું છે? - (માત્મ-)વિમૃતેઃ અવસરું ના ઢવી | આત્મવિસ્મરણને, આત્મસ્વરૂપને વીસરી જવા માટે ક્યારેય અવસર એટલે કે તક ન આપીને, એટલે કે એવાં વિસ્મરણમાં સમય વેડફ્યા વિના. આવું વિસ્મરણ થવાનું જોખમ શામાં રહેલું છે ? - આવી ત્રણ પ્રવત્તિઓમાં : (૧) નિદ્રાયા. - ઊંઘવામાં; (૨) તો વાર્તાયાદ | લૌકિક વાતચીતોમાં, લોકોના નિરર્થક વાર્તાલાપોમાં, ગામ-ગપાટામાં; અને (૩) શબ્દાવેઃ પિ | શબ્દ વગેરે વિષયવાસનાઓમાં પણ. (૨૮૭)
અનુવાદ : નિદ્રાને, લૌકિક વાર્તાલાપોને અને શબ્દ વગેરે વિષયોને પણ, આત્મવિસ્મણ માટે ક્યારેય તક ન આપતાં, તું તારા આત્મામાં જ આત્માનું (સતત) ચિંતન કરતો રહે. (૨૮૭)
ટિપ્પણ : મોક્ષાર્થી સાધકનું એકમાત્ર જીવનધ્યેય આત્મસાક્ષાત્કારનું છે, એટલે તેણે બે બાબતોનું સતત ધ્યાન રાખવાનું રહે છે : (૧) સમયનો સદુપયોગ, અને (૨) આત્મસાક્ષાત્કારમાં ક્યારેય કશો વિક્ષેપ ન થાય, તેનું. ' મનુષ્યનું આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય, છતાં અંતે તો તેની પણ મર્યાદા છે, હોય જ. અને સમય તો અણ-અટક્યો પસાર થતો જ હોય છે, એટલે
Time is money”. એ કહેવત પ્રમાણે, જિંદગીની એક પણ ક્ષણ નકામી વેડફાય નહીં, એ રીતે પળે પળનો વિનિયોગ, પોતાનાં અભીષ્ટ ધ્યેય સમાં આત્મચિંતનમાં જ કરવો, એવો સુદઢ નિશ્ચય તેણે મનોમન કરી લેવો જોઈએ.
બીજી એવી જ મહત્ત્વની વાત છે, આત્મચિંતનની પ્રક્રિયામાંની એકાગ્રતા(concentration)ની : સંસાર-વ્યવહારનો સ્વભાવ જ એવા પ્રકારનો છે કે અમુક આરામદાયક અથવા મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ તરફ મનુષ્યનું મન ઢળી જાય : સ્વાથ્યને જાળવવા માટે છ કલાકની ઊંઘ પર્યાપ્ત છે, એવો સુનિશ્ચિત સ્વાથ્ય-નિષ્ણાતોનો અભિપ્રાય છે, એટલું જ નહીં પણ દિવસે ઊંઘવા(“દિવાસ્વાપ')નો તો નિષેધ જ છે. અને છતાં સામાન્ય મનુષ્ય કેટલા બધા ક્લાક ઊંઘતો હોય છે !
આત્મચિંતનની એકાગ્રતામાં વિક્ષેપ સર્જે એવું બીજું પ્રલોભન છે, – સગાંવહાલાં, મિત્રો, પાડોશીઓ વગેરે સાથેની લૌકિક વાતચીતો; મોટે ભાગે તો, આવા વાર્તાલાપોતો વાર્તા)માં નિરર્થક ચર્ચાઓ, લોકનિંદા-કુથલી અને ગામગપાટા જ હોય છે ! સમયનાં મૂલ્ય-મહત્ત્વ સમજનાર સાધકને આવો આભાસી
વિવેકચૂડામણિ | પર૫