________________
नश्यति, वासनानां क्षयः (च भवति), अतः स्व-अध्यास-अपनयं कुरु ર૭૮ .
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મત: સ્વ-અધ્યાસ-માનવે 2 છે અત: – આથી, આ કારણે; માનય ! – દૂર કર, ત્યાગ કર, છોડી દે, ફગાવી દે : આથી તારા પોતાના “અધ્યાસને દૂર કર. “આથી' એટલે શાથી? આ બે કારણે : (૧) યોનિઃ મનઃ નશ્યતિ | “મ:' એટલે બાહ્ય વિષયોમાં - વાસનાઓમાં ભટકતી ચિત્તવૃત્તિઓ; યોગીનું આવું મન નાશ પામે છે; અને (૨) વાસનાનાં ક્ષયઃ (ત્ર પર્વતિ) | અને વિષયવાસનાઓનો પણ ક્ષય (એટલે કે નાશ) થાય છે. આ બંને પરિણામો શાનાં કારણે શક્ય બને છે ? – વાન પર્વ સદા સ્થિવા | – પોતાના આત્મામાં જ સદા સ્થિતિ કરવાથી, ત્યાં જ સ્થિર રહેવાનાં કારણે. (૨૭૮)
અનુવાદ: પોતાના આત્મામાં જ સદા સ્થિતિ કરવાથી, યોગીનું મન નાશ પામે છે અને વિષયવાસનાઓનો પણ ક્ષય થાય. આથી તારા પોતાના અધ્યાસને દૂર કર. (ર૭૮) - ટિપ્પણ: મોક્ષાર્થી સાધક માટે, “અધ્યાસ', એનાં જીવનધ્યેયને પરિપૂર્ણ કરવાની આડે, કેવડું મોટું વિઘ્ન બને છે, તે પ્રત્યે ગ્રંથકારે આ પહેલાં પણ તેનું લક્ષ ખેંચ્યું જ છે; એટલું જ નહીં પરંતુ શ્લોક-૨૭૧માં પણ ચોથું ચરણ અહીંની જેમ જ હતું, – પોતાના “અધ્યાસ'નાં દૂરીકરણનું : સ્વ-અધ્યાતમાનવે શ . અને હવે પછીના ૨૭૯થી ૨૮૬ સુધીના ૮ શ્લોકોમાં પણ આ જ ચરણની પુનરુક્તિ ચાલુ રહેવાની છે.
આ પહેલાં, ગ્રંથકારે, એકથી વધુ વાર, અધ્યાસનું સ્વરૂપ સમજાવ્યું છે : અસ્મિન તદ્-દ્ધિ..! – જે તે નથી, તેમાં તે છે' એવી સમજણ; “અનાત્માને આત્મા’ માની લેવો તે; શરીર વિશે “હું શરીર છું એવો “અહ-ભાવ, “મમ'-ભાવ. અહીંથી હવે પછી શ્લોક ૨૮૬ સુધી અધ્યાસ-નિવૃત્તિનો મુદ્દો ગ્રંથકારે હાથ ધર્યો છે.
આવો આદેશ, આચાર્યશ્રી, બે કારણે, આપે છે, તે પહેલાં, આ બે કારણોનાં પણ કારણ તરીકે સાધકને પોતાના આત્મામાં જ સદા-સર્વદા સ્થિત રહેવાની ભલામણ કરી છે, એટલે કે ચિત્તવૃત્તિઓને પોતાના શુદ્ધ આત્માની અંદર જ સ્થિર-સ્વરૂપે સ્થાપિત કરવાની સલાહ આપી છે, કારણ કે ચિત્તવૃત્તિઓ મનની બહાર ભટકતી રહેવાને બદલે વિશુદ્ધ આત્માનું ગ્રહણ-અનુસરણ કરે તો, એમાં જ કેન્દ્રિત બને તો, અનાત્મ-વસ્તુઓનાં મિથ્યા સ્વરૂપની પ્રતીતિ થઈ જાય, અને આવી પ્રતીતિ એ જ “અધ્યાસનું “અપનયન” (Removal).
અને ચિત્તવૃત્તિઓનાં આત્મામાંના સ્થાપનને કારણે, “અધ્યાસ'નાં દૂરીકરણ માટેની બે અનિલય પૂર્વભૂમિકાઓ સ્વયમેવ સર્જાઈ જાય : (૧) સાધકનાં મનનો
૫૧૨ | વિવેચૂડામણિ