________________
૨૭૧ लोकानुवर्तनं त्यक्त्वा त्यक्त्वा देहानुवर्तनम् ।
शास्त्रानुवर्तनं त्यक्त्वा स्वाध्यासापनयं कुरु ॥ २७१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
લોકાનુવર્તન ત્યક્તા ત્યક્તા દેહાનુવર્તનમ્ | શાસ્ત્રાનુવર્તન ત્યક્તા સ્વાધ્યાસાપનયં કુરુ ૨૭૧ |
શ્લોકનો ગદ્ય અન્વયઃ નોવાનુવર્તન ત્યવત્તા, રેહાનુવર્તન ત્યવત્તા, શાત્રાનુવર્તન ચવવા, સ્વ-અધ્યા-માનવે શુ? || ર૭8 || | શબ્દાર્થ : મુખ્ય વાક્યઃ સ્વ-અધ્યાસ-૩મયે સુરુ | માય એટલે ત્યાગ, ત્યજી દેવું, દૂર કરવું, છોડી દેવું. શ્રીગુરુજી આજ્ઞા કરે છે કે “તું તારા પોતાના અધ્યાસીને દૂર કરી દે.” પરંતુ તે પહેલાં આ ત્રણ ક્રિયાઓનો ત્યાગ કરવાનું (ત્યવત્વ), તેમણે શિષ્યને સૂચવ્યું છે : (૧) તો-મનુવર્તનમ્ | લોકોને અનસરવાનું, (૨) ૮-અનુવર્તનમ | શરીરને, એટલે કે તેના પ્રત્યેના “અહંભાવ“મમભાવ અને આસક્તિ વગેરેને આધીન થવાનું; (૩) શાર-અનુવર્તનમ્ | શાસ્ત્રોને, એટલે કે માત્ર શુષ્ક પાંડિત્ય આપી શકે તેવાં તેમનાં યાંત્રિક પઠનપાઠનને અનુવર્તવાનું. (૨૭૧).
અનુવાદ: લોકોને અનુસરવાનું, દેહને(એટલે કે એના પ્રત્યેના આત્મભાવને) અનુસરવાનું અને શાસ્ત્રોને(એટલે કે માત્ર તેના વાચ્યાર્થીને) અનુસરવાનું છોડીને, તું તારા પોતાના અધ્યાસને દૂર કરી દે. (૨૭૧)
ટિપ્પણ: “અધ્યાસનો નિષેધ કરવામાં મહત્ત્વને અધોરેખાંકિત (Underline) કરવાની સૂચના અહીં પણ ચાલુ જ છે : સ્વ-અધ્યાસ-ઉપનયે |
પરંતુ “અધ્યાસનો નિષેધ કરવો તે, મનુષ્ય ધારે છે એટલો, સહેલો નથી. સંસારનો વ્યવહાર જ એવો અટપટો છે કે મોક્ષાર્થી સાધકને ખ્યાલ પણ ન રહે એ રીતે, “અધ્યાસ-નિષેધના એના સાત્ત્વિક કાર્યમાં, રજોગુણ-તમોગુણ જેવાં કેટલાંક વિઘ્નો, તેમના સ્વભાવને કારણે, ઊભાં કરી દે. એમાં સૌપ્રથમ છે. - લોકાનુવર્તન : કીર્તિ, પ્રતિષ્ઠા, લોકપ્રિયતા (Popularity), પ્રશંસા, માન-મોભો, મહત્તા, વગેરેની પ્રાપ્તિ એક મનુષ્ય-સહજ નિર્બળતા છે. પોતાની સાધના દરમિયાન જો મોક્ષાર્થી આવી નિર્બળતાને વશવર્તી બની જાય, તો, તેના માટે બે ભયસ્થાનો સર્જવાનો સંભવ રહે છે : એક તો, એ કે લોકોને પ્રસન્ન કરીને તેમના તરફથી પ્રોત્સાહન પ્રાપ્ત કરવામાં સાધકના અહંકારને અનિચ્છનીય પોષણ મળે, એટલે કે જેનાથી તેણે મુક્ત થવાનું છે તે, તેનો “અહ”-(Ego) સવિશેષ સબળ અને સજ્જડ બની જાય; અને બીજું, – જે, આ પહેલાં ભયસ્થાનમાંથી જ જન્મે છે
૫૦૨ | વિવેકચૂડામણિ
Tallinn