________________
દેવી જોઈએ. અહીં, સંસારમાં વાસનાના નાશને જ મુનિઓ મુક્તિ કહે છે. (૨૬૮)
ટિપ્પણ : ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે, મનુષ્ય જિંદગીભર એક અથવા બીજાં, સારાં કે નરસાં કર્મો કરતો રહે છે, પરંતુ તેની માનવસહજ નિર્બળતાને કારણે, તે, તે કર્મોનો, પોતાની જાતને, કર્તા-ભોક્તા સમજે છે, અને મરણ પામતાં, તેની અમુક ઇચ્છા અથવા “વાસના” અપૂર્ણ રહે છે, જેને પરિપૂર્ણ કરવા માટે, તેને પુનર્જન્મ અથવા આવાં અનેક જન્મોની, ઘટમાળમાં સંડોવાવાનું રહે છે. જીવન દરમિયાન તે જે કર્મો કરે છે, તે “ક્રિયમાણ કર્મ કહેવાય છે, પરંતુ અધૂરી વાસનાને, એટલે કે મૃત્યુ પહેલાંનાં કર્મોને સંપન્ન કરવા માટે તે પછીના જન્મોમાં જે કર્મો કરે છે તે, “સંચિત” અને “પ્રારબ્ધ કર્મો કહેવાય છે.
આમ, “ક્રિયમાણ”, “સંચિત” અને “પ્રારબ્ધ કર્મો દ્વારા, અગાઉના જન્મોમાંની અપૂર્ણ “વાસનાઓ (Impressions)ને પરિપૂર્ણ કરવા માટે તેને, પુનરપિ પુનઃ, જન્મ-મરણની અનંત ઘટમાળમાં અટવાવું પડે છે અને, આ રીતે, મનુષ્યજીવનનાં એકમાત્ર ધ્યેય સમી મોક્ષપ્રાપ્તિથી તેને વંચિત રહેવું પડે છે.
આ શ્લોકમાં, આચાર્યશ્રીએ, “વાસનાની વિમુક્તિ જેવા મહત્ત્વના વિષયને સમજાવ્યો છે. આ અનુસંધાનમાં, મોક્ષાર્થી સાધક માટે લક્ષમાં રાખવા જેવી વાત એ છે કે કર્તૃત્વ-ભોકતૃત્વ' જેવી અતૃપ્ત “વાસના' સાથે જો તે મૃત્યુ પામ્યો હોય તો, જીવન દરમિયાન આત્મ-વસ્તુનું તેને જ્ઞાન થઈ ગયું હોય તે છતાં (વસ્તુનિ જ્ઞાત પિ) પણ, અનાદિકાળથી ચાલી આવતી બળવાન અને દઢ “વાસના' જો તેનાં મનમાં રહી ગઈ હોય તો, અ-સંતૃત વાસનાનાં પરિણામે, “સંચિત” અને “પ્રારબ્ધ' પ્રકારનાં કર્મોના ફળ ભોગવવા માટે, તેને, સંસારચક્રનું પરિભ્રમણ સતત કરવું પડે છે. ટૂંકમાં, તેની તે અનાદિ “વાસના” જ તેના સંસારનું કારણ બને છે (ત્તા ઇષ મના િવાસના ગણ્ય સંસારહેતુઃ મવતિ ) ,
પરંતુ “સંસારહેતું બનતી વાસનામાંથી મુક્ત થવું કેવી રીતે ?
શ્લોકના ઉત્તરાર્ધમાં, આચાર્યશ્રીએ, સંક્ષેપમાં, આ ઉપાય જ સમજાવ્યો છે : મનન કરે તે મુનિ, એ વ્યુત્પત્તિ પ્રમાણે, મનનશીલ મુનિઓએ, લાઘવપૂર્વક છતાં અત્યંત પ્રતીતિજનક એવું એક સમીકરણ (Equation) પ્રતિપાદન કર્યું છે કે “વાસનાનો ત્યાગ એ જ મુક્તિ !” (ય વાસનાતાનવું, તે ¢ રૂત્તિ મુન: પ્રહ)
પરંતુ આ “વાસનાત્યાગ' માટે સાધકે ભારે મોટો પ્રયત્ન કરવાનો રહે છે (પ્રવાત), અને તે સંપન્ન કરવા માટે, તેણે આંતરદષ્ટિથી, આત્મામાં જ જ્ઞાનમયી દાથી, આત્મસ્વરૂપમાં સતત સ્થિત બનીને, પરિશ્રમપૂર્વક, સભાન રહીને, પેલી અનાદિ અને અતૂટ વાસનાને સંપૂર્ણરીતે ભૂંસી નાખવી જોઈએ. (પ્રત્યાક્યા आत्मनि निवसता सा वासना अपनेया ।)
આમ, મોક્ષાર્થી સાધક સમક્ષ, આચાર્યશ્રીએ, વાસના-વિનાશ એ જ મુક્તિ, એવું એક સંક્ષિપ્ત સમીકરણાત્મક સૂત્ર જ રજુ કરી દીધું.
શ્લોકનો છંદ : મદાકાત્તા (૨૬૮)
૪૯૮ | વિવેકચૂડામણિ